________________
૨૧૮
અધ્યાત્મસાર ઉપાયભૂત વિશેષ જ્ઞાન માટે યત્ન કરવાની ઉપેક્ષાવાળા, અને માત્ર બાહ્ય આચરણારૂપ ક્રિયામાં જ રુચિવાળા છે. તેવા જીવો ક્રિયામાં એકાન્ત રુચિવાળા છે.
આ રીતે ઉત્સર્ગ-અપવાદ, વ્યવહાર-નિશ્ચય કે જ્ઞાન-ક્રિયામાં ક્યાંય પણ એકાંત પક્ષપાત હોય, કે બંનેને માનવા છતાં એક પ્રત્યે બલવાન પક્ષપાત હોય, તો પણ તે એકાન્તવાદી જ છે અને તેઓમાં જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી. II૬-૩પ અવતરણિકા -
હવે કેવા પ્રકારના બોધવાળાના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી, તે શ્લોક૩૬ થી ૩૮ માં બતાવે છે –
स्वागमेऽन्यागमार्थानां, शतस्येव परार्थ्यके ।
નીવતારવુથર્વ વે-ત્ર તથા જ્ઞાનવર્ધતા રૂદ્દાઓ અન્વયાર્થ :
પરેશતરચ રુર પરાર્ધમાં શતની જેમ=પરાધની સંખ્યામાં જેમ સોની સંખ્યા સમાઈ જાય તેમ વાડચામર્થનાં સ્વઆગમમાં અન્ય આગમોના અર્થોના ઉતારવુઘલ્વે વેત્ ન અવતારનો બોધ જો નથી, તવા તો તેના વૈરાગ્યમાં) જ્ઞાનર્મતા ન જ્ઞાનગર્ભતા નથી. II૬-૩૬ાા
* “પરાધ' એ ઘણી મોટી સંખ્યા દર્શાવતો સંખ્યાવાચી શબ્દ છે. શ્લોકા :
પરાધની સંખ્યામાં જેમ સોની સંખ્યા સમાઈ જાય, તેમ સ્વઆગમમાં અન્ય આગમોના અર્થોના અવતારનો બોધ જો નથી, તો તેના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી.
I૬-૩૬ના
ભાવાર્થ :
પરાધની સંખ્યામાં સોની સંખ્યા સમાઈ જાય છે, કેમ કે પરાર્ધ સંખ્યા મોટી છે અને સો સંખ્યા નાની છે. તે જ રીતે સ્વઆગમ સર્વ નયાત્મક છે અને અન્યદર્શનનાં આગમો એકેક નય પર ચાલે છે, તેથી સર્વનયાત્મક જૈન આગમમાં અન્યદર્શનનાં એક નયાત્મક સત્ય વચનો અંતર્ભાવ પામે છે. આમ છતાં, જેઓને જૈનદર્શનના સર્વનયોનો યથાસ્થાન યોજન કરવાનો બોધ નથી, તેઓ અન્યદર્શનના