________________
અધ્યાત્મસાર
મનોન્માવવમાં મદનના ઉન્માદનું વમન, મસમ્મર્રમર્દનમ્ મદના સમ્મનું=મદના ઉન્માદનું, મર્દન, અસૂયાતત્તુવિચ્છેઃ અસૂયાતંતુનો=ઈર્ષ્યાના ભાવોનો, વિચ્છેદ, સમતામૃતમજ્ઞનમ્ સમતારૂપી અમૃતમાં મજ્જન (અને) સવા વિવાનન્તમયાત્ સ્વમાવાતું ચલનું ન વ હંમેશાં ચિદાનંદમય સ્વભાવથી ચલન ન જ હોય, ડ્યું આ પ્રકારની તૃતીયસ્ય વૈરાગ્યસ્ય ત્રીજા વૈરાગ્યની તકળાવતી મૃતા લક્ષણાવલી કહેવાયેલી છે. ||૬–૪૦/૪૧/૪૨/૪૩][
* ‘T’ પૂર્વશ્લોક સાથેના સમુચ્ચય માટે છે.
શ્લોકાર્થ :
૨૨૪
અને સૂક્ષ્મક્ષિકા, માધ્યસ્થ્ય, સર્વત્ર હિતચિંતા, ક્રિયામાં અત્યંત આદર, લોકનું ધર્મમાં યોજન, ૫રના વૃત્તાન્તમાં મૂક-અંધ-બધિરની ઉપમા જેવી ચેષ્ટા, દરિદ્રને ધનાર્જનની જેમ સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ, મદનના ઉન્માદનું વમન, મદના ઉન્માદનું મર્દન, ઇર્ષ્યાના ભાવોનો વિચ્છેદ, સમતારૂપી અમૃતમાં મજ્જન અને સદા ચિદાનંદમય સ્વભાવથી ચલન ન જ હોય, આ પ્રકારની ત્રીજા વૈરાગ્યની લક્ષણાવલી કહેવાયેલી છે. II૬–૪૦/૪૧/૪૨/૪૩]]
ભાવાર્થ:
જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા જીવો બે પ્રકારના હોય છે. (૧) ગીતાર્થ અને (૨) ગીતાર્થને નિશ્રિત અગીતાર્થ એવા માષતુષમુનિ જેવા સાધુઓ.
ગીતાર્થો અને અગીતાર્થોને આ લક્ષણો કઈ રીતે સંગત છે, તે નીચે પ્રમાણે
:
(૧) સૂક્ષ્મક્ષિકા :- આ બંને પ્રકારના સાધુઓને સૂક્ષ્મ ઇક્ષિકા હોય છે. ગીતાર્થને સર્વશાસ્ત્રોને યથાસ્થાને જોડવાની સૂક્ષ્મ દૃષ્ટિ હોય છે, તેથી તેઓમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે.
માષતુષ મુનિને શાસ્ત્રના પદાર્થોને યથાસ્થાને જોડવાનો સૂક્ષ્મ બોધ ન્હોતો, તો પણ ગીતાર્થના વચનોના ૫૨માર્થને પકડવાની તેમનામાં સૂક્ષ્મ પ્રજ્ઞા હતી; તેથી ગીતાર્થને પરતંત્ર રહીને તેઓ પણ આત્મહિત સાધી શક્યા. આથી જ માષતુષમુનિ ‘માતૃષ’ અને ‘મારુષ’ આ બે શબ્દોના પરમાર્થને પકડીને કેવળજ્ઞાનને પામ્યા.
(૨) મધ્યસ્થતા :- ગીતાર્થને કોઇ દર્શન પ્રત્યે પક્ષપાત હોતો નથી પરંતુ કેવળ તત્ત્વનો જ પક્ષપાત હોય છે. તેથી સર્વદર્શન પ્રત્યે મધ્યસ્થ ભાવ હોવા છતાં