________________
ચાયાભાર
૨૩૦
સુવાક્યો
વિવેક આવે એટલે સંસાર સ્વયં બંધન લાગે. ભગવાનનું વચન તે જ અર્થ બાકી અનર્થ. સપ્રવૃત્તિમાં માયાચાર મોટો દોષ છે. લોકો શું કહે છે તે નથી જોવાનું શાસ્ત્ર શું કહે છે તે જોવાનું છે. સાધના એટલે ચિત્તને નિર્માણ તરફ લઇ જવું તે. પ્રમાદ, વૈરાગ્ય ઝાંખો થવાથી આવે છે. ભગવાનના વચનનું સ્મરણ, તેનાથી નિયંત્રિત મન, મનથી નિયંત્રિત વચન અને કાયક્રિયા કરવાના છે, સંયોગ પ્રમાણે મનસ્વી રીતે નહીં. આ જીવની વિશુદ્ધિ જીવના અંદરના સ્વપ્રયત્નથી જ થાય છે. જ તત્ત્વ અતત્ત્વનો ચોક્કસ ભેદ કરી ચાલવાનો જીવનો અંતરંગ પરિણામ હોવો જોઇએ.
તત્ત્વની જિજ્ઞાસા તાત્ત્વિક અંદરથી થાય પછી મમત્વ બહુ જીવી નથી શકતું, ધીરે ધીરે મમત્વ ક્ષીણ થતું જાય છે. છે કોઇ પણ ક્રિયા કરો, યતનાપૂર્વક કરો, ઉપયોગપૂર્વક કરો. વૈરાગ્યને જીવંત રાખો. સતત દુરંત સંસારનું સ્વરૂપ યાદ કરો.
સૂત્રથી અર્થ, અર્થથી પરિણામપૂર્વકની વૃદ્ધિ અને તેના દ્વારા સંવેગની વૃદ્ધિ કરવાની છે. છે ભગવાન પ્રત્યે બહુમાન પેદા કરવા ભગવાનના સ્વરૂપનું ચિંતન અને તેના વચન પર શ્રદ્ધા કરી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો સુદઢ પ્રયત્ન કરવો. ચોક્કસ ઉપયોગપૂર્વક, ચોક્કસ પ્રવૃત્તિ કરે તો સંસારનો ઉચ્છેદ થાય.
રુચિ એટલે કોઇ પ્રતિબંધક કારણ ન હોય તો ૨૪ કલાક તેનું ખેંચાણ અને તેના કરણનો જ અભિલાષ.
તત્ત્વમાંથી આનંદ લેવાની વૃત્તિ દુનિયાએ જોઇ નથી, ઇન્દ્રિયોમાંથી આનંદ મળે તે વિપર્યાસ. વિપર્યાય જાય એટલે તત્ત્વ દેખાય.