________________
અધ્યાત્મસાર
૨૨૦
પરંતુ અન્યદર્શનવાળાઓ કોઈ એક નય ઉપર પોતાના દર્શનનું સ્થાપન કરતા હોવાથી, પોતાને માન્ય એવી એક નયદષ્ટિ અન્ય નયના સ્થાનમાં પણ સંગતિ કરવા યત્ન કરે છે, તેવા એકાંતવાદીઓમાં નવિષયક મધ્યસ્થતા નથી.
તે જ રીતે સ્યાદ્વાદને માનનાર પણ કોઈ જીવ, કોઈ એક નય પ્રત્યે વલણવાળો હોય તો, તે નયના સ્થાનમાં તે જ નયને યોજે છે અને પરનયના સ્થાનમાં પણ તે જ નયને યોજવા યત્ન કરે છે. જેમ ચારિત્રાચારની ક્રિયા પ્રત્યે અતિવલણવાળા જીવો માને છે કે, જ્ઞાનનું ફળ વિરતિ જ છે, માટે જ્ઞાન ભણીને પણ વિરતિમાં જ યત્ન કરવાનો છે, તેથી તેઓ વિરતિની ક્રિયાને ઉપયોગી હોય તેટલા જ માત્ર જ્ઞાનમાં સંતોષ માનીને ક્રિયામાં જ પક્ષપાતી રહે છે અને વિશેષ જ્ઞાનથી થતા સંવેગની વૃદ્ધિની ઉપેક્ષા કરીને હિત સાધી શકતા નથી, તે તેઓની નયના વિષયમાં મધ્યસ્થતા નથી.
પરંતુ જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળા જીવો મોક્ષના ઉપાયભૂત સંવેગને જ જુએ છે, અને તેથી જે સ્થાનમાં સંવેગની વૃદ્ધિનું કારણ જ્ઞાન બનતું હોય, તે સ્થાનમાં જ્ઞાનનયને મહત્ત્વ આપે છે; અને જે સ્થાનમાં ક્રિયાની સમ્યગુ પાલનાથી જ સંવેગની વૃદ્ધિ થતી હોય, ત્યારે તે સ્થાનમાં ક્રિયાનયને યોજે છે. તેનું કારણ યથાર્થ જ્ઞાન હોવાના કારણે સર્વ નયો પ્રત્યે તેઓને મધ્યસ્થતા છે. I૬-૩થા
आज्ञयागमिकार्थानां, यौक्तिकानां च युक्तितः ।
न स्थाने योजकत्वं चे-न तदा ज्ञानगर्भता ।।३८।। અન્વયાર્થ :
૩મી માર્થાનાં સાથ આગમિક અર્થોને આજ્ઞા વડે યોાિનાં ૨ યુતિઃ અને યુક્તિગ્રાહ્ય અર્થોને યુક્તિથી રથાને યોગત્વે વેત્ સ્થાનમાં યોજકપણું જો ન હોય, તરી જ્ઞાનર્મિતા ન તો (તેના વૈરાગ્યમાં) જ્ઞાનગર્ભતા નથી. II૬-૩૮II શ્લોકાર્થ :
આગમિક અર્થોને આજ્ઞા વડે અને યુક્તિવાળા અર્થોને યુક્તિથી, સ્થાનમાં યોજકપણું જો ન હોય તો તેના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી. I૬-૩૮ ભાવાર્થ :
સર્વજ્ઞ ભગવંતે કહેલાં જે વચનો યુક્તિથી યોજવા યોગ્ય હોય તે યુક્તિથી