________________
અધ્યાત્મસાર
૨૧૨ હોવાથી શુદ્ધતા નથી. અને પછીના શ્લોક-૨૩ થી ૩૩ માં બતાવ્યું કે સંપૂર્ણ પર્યાયનો લાભ શું છે ? અને તે કઈ રીતે થાય ? અને તેની સિદ્ધિ કરી. હવે તે એકાન્તની શ્રદ્ધા શુદ્ધતાની વિરોધી કેમ છે ? તેનો ઉપસંહાર કરતાં કહે છે –
तदेकान्तेन यः कश्चि-द्विरक्तस्यापि कुग्रहः । .. शास्त्रार्थबाधनात्सोऽयं, जैनाभासस्य पापकृत् ।।३४।। અન્વયાર્થ:
તત્ તે કારણથી=પૂર્વમાં કહ્યું કે પદાર્થ અનંત ધર્માત્મક છે, અને પ્રાજ્ઞ આગમની શ્રદ્ધાથી તે અખિલ અર્થને જાણે છે તે કારણથી, વિરારી ૩ ગેનાભારાય વિરક્તનો પણ જૈનાભાસનો ૬ મિત્તેન યઃ યુઝઃ કોઈપણ એકાંતથી જે કુગ્રહ છે, સોચે તે આ=કુગ્રહ શાસ્ત્રાર્થવાઘનાત્ શાસ્ત્રાર્થનું બાધન કરનાર હોવાથી પાપકૃત્ પાપને કરનારો છે. I૬-૩૪ શ્લોકાર્ચ - 2..
પૂર્વમાં કહ્યું કે પદાર્થ અનંત ધર્માત્મક છે, અને પ્રાજ્ઞ આગમની શ્રદ્ધાથી તે અખિલ અર્થને જાણે છે, તે કારણથી વિરક્તનો પણ જેનાભાસનો કોઈપણ એકાન્તથી જે કુગ્રહ છે, તે કુગ્રહ શાસ્ત્રાર્થનું બાધન કરનાર હોવાથી પાપને કરનારો છે. I
૩૪ll
ભાવાર્થ -
પૂર્વશ્લોકમાં સિદ્ધ કર્યું કે દરેક પદાર્થ સ્વ-પરપર્યાયરૂપ અનંત ધર્માત્મક છે, તથા જે પ્રાજ્ઞ છે તે જિનવચનની પરીક્ષા કરીને જિનવચન જ ખરેખર તત્ત્વ છે તેવી પરિપૂર્ણ રુચિવાળો થાય છે, તેથી તે જૈન છે. અને જે જૈન ધર્મને માનનારો હોય, વિરક્ત હોય, શબ્દથી સ્યાદ્વાદને માનનારો હોય, તો પણ કેવળ ષકાયના પાલનમાં રુચિને ધારણ કરતો હોય, તો અર્થથી તે એકાન્ત ષકાયના શ્રદ્ધાનવાળો છે, તેથી તે જૈનાભાસ છે; અને તેને એવો કુગ્રહ છે કે પકાયનું પાલન જ કેવળ મોક્ષનું કારણ છે. અહીં ગ્રંથકાર કહે છે કે, આ કુગ્રહ શાસ્ત્રાર્થનું બાધન કરનાર હોવાથી પાપને કરનાર છે. કારણ કે શાસ્ત્રાર્થ, જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષ માને છે, નહીં કે એકલી ક્રિયા અથવા એકલા જ્ઞાન દ્વારા જ. તેથી તેવો જીવ અહિંસાની શુભલેશ્યાને ધારણ કરતો હોય, નિપુણ પ્રજ્ઞાપૂર્વક અહિંસા માટે દરેક પ્રવૃત્તિ કરતો હોય, તપમાં