________________
૨૦૯
વૈરાગ્યભેદાધિકાર માનવાનો અતિપ્રસંગ છે; તથાપિ તો પણ સયશઃ સમ્યગ્દષ્ટિની સાડાત્રતા સદા અખ્ખલિત ૩ને રાત્તામશ્રદ્ધા અનેકાન્ત આગમની શ્રદ્ધા (છે) તથા તેના વડે જ= શ્રદ્ધા વડે જ સંપૂર્થવિવેવનમ્ ત્િ સંપૂર્ણ અર્થનું વિવેચનઃગ્રહણ થાય છે. II૬-૩૧/૩રા શ્લોકાર્ચ -
જો કે કેવળજ્ઞાન વગર અનંત ધર્માત્મક પદાર્થના દરેક પર્યાય કયારે પણ ગ્રહણ થતા નથી, અને એકાંશ દ્વારા પદાર્થનું ગ્રહણ અતિપ્રસક્તિવાળું છે=છવસ્થ જે એકાંશ દ્વારા ગ્રહણ કરે છે તે જ્ઞાનને મિથ્યાજ્ઞાન માનવાનો અતિપ્રસંગ છે; તો પણ સમ્યગ્દષ્ટિની સદા અસ્મલિત અનેકાન્ત આગમની શ્રદ્ધા છે, તે શ્રદ્ધા વડે જ સંપૂર્ણ અર્થનું ગ્રહણ થાય છે. ૬-૩૧/૩શા ભાવાર્થ -
કેવળજ્ઞાની જ સ્વતંત્રરૂપે દરેક પદાર્થના બધા પર્યાયોને જાણી શકે છે, જ્યારે છદ્મસ્થાવસ્થામાં ૧૪ પૂર્વી કે સમ્યગ્દષ્ટિ, એક દ્રવ્યમાં રહેલા બધા પર્યાયોને સ્વતંત્રરૂપે ક્યારે પણ ગ્રહણ કરી શકતો નથી. તેથી જ્યારે પણ તે કોઇ વસ્તુને ગ્રહણ કરશે ત્યારે, તે પદાર્થમાં રહેલા કોઈ અંશથી તે પદાર્થનું જ્ઞાન કરી શકશે; અને તેવા અંશથી ગ્રહણ કરાયેલા છબસ્થના બોધને મિથ્યાજ્ઞાન માનવાનો અતિપ્રસંગ છે, આથી જ એકાંતદૃષ્ટિવાળા મિથ્યાષ્ટિના જ્ઞાનને શાસ્ત્રકારોએ મિથ્યાજ્ઞાન કહેલ છે. તેથી એમ માનવું પડે કે કેવલીને જ યથાર્થ જ્ઞાન છે, અને છબસ્થને યથાર્થ જ્ઞાન નથી.
આ પ્રકારની આપત્તિના સમાધાનરૂપે શ્લોક-૩૨ માં કહે છે કે, સમ્યગ્દષ્ટિને સદા અનેકાન્ત આગમની શ્રદ્ધા અખ્ખલિત હોય છે, અર્થાત્ જીવ જ્યારથી સમ્યક્ત્વ પામે છે, ત્યારથી માંડીને જ્યાં સુધી પાછો મિથ્યાત્વને પામે નહીં ત્યાં સુધી, ભગવાનના વચનમાં સ્કૂલના વગર તેની શ્રદ્ધા હોય છે. અને ભગવાનનું વચન અનેકાંત આગમરૂપ છે, તેથી તેની રુચિ અનેકાન્ત આગમ પ્રત્યે હોય છે, અને તે રુચિથી જ દરેક પદાર્થને તે જુએ છે. તેથી સમ્યગ્દષ્ટિને દરેક પદાર્થના સંપૂર્ણ અર્થનું અવલોકન અનેકાન્ત આગમ અનુસાર હોય છે, અને તેવું જ જ્ઞાન પ્રમાણિત છે; તેથી છબસ્થ એવા સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનને મિથ્યાજ્ઞાન માનવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થશે નહિ.
આનાથી એ ફલિત થાય છે કે, કેવલી કેવળજ્ઞાનથી દરેકે દરેક દ્રવ્યમાં વર્તતા દરેક પર્યાયને સ્વતંત્રરૂપે જુએ છે, તેથી તેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ