________________
અધ્યાત્મસાર
૨૦૪
स्वान्यपर्यायसंश्लेषात्, सूत्रेऽप्येवं निदर्शितम् ।
सर्वमेकं विदन्वेद, सर्वं जानँस्तथैककम् ।।२९।। અન્વયાર્થ
સૂત્રેડપિ સૂત્રમાં પણ આગમમાં પણ વાપર્યાયસંન્સેક્ષાત્ સ્વ અને અન્ય પર્યાયોનો સંશ્લેષ હોવાને કારણે વં આ પ્રમાણે શ્લોકના ઉત્તરાર્ધમાં કહેવાશે એ પ્રમાણે,
નિત દર્શાવ્યું છે. સર્વમ વિના વેર સર્વને જાણતો એકને જાણે છે. તથા તે પ્રમાણે પ્રમ્ ગાનન્ સર્વ એકને જાણતો સર્વને (જાણે છે). II૬-૨લા નોંધ -
“ જિ” માં ' થી એ કહેવું છે કે ત્રણે કાળના વાણીના અને અર્થના જેટલા પર્યાયો છે તેટલું એક દ્રવ્ય છે, તે કથન પૂર્વે જેમ સ્વ અને અન્ય પર્યાયના સંશ્લેષને કારણે કહ્યું, તેમ સૂત્રમાં પણ એકને જાણતો સર્વને જાણે છે એ કથન સ્વ અને અન્ય પર્યાયના સંશ્લેષને કારણે કરેલ છે. શ્લોકાર્ચ -
આગમમાં પણ સ્વ અને અન્ય પર્યાયોનો સંશ્લેષ હોવાને કારણે શ્લોકના ઉત્તરાર્ધમાં કહેવાશે એ પ્રમાણે દર્શાવ્યું છે. સર્વને જાણતો એકને જાણે છે, તે પ્રમાણે એકને જાણતો સર્વને જાણે છે. I-૨ ભાવાર્થ :
પૂર્વશ્લોકોમાં સ્થાપન કર્યું એ રીતે, દરેક પદાર્થને સ્વ અને અન્ય પર્યાયનો સંશ્લેષ છે, તેને કારણે જ સૂત્રમાં પણ આ રીતે કહ્યું છે કે, જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. તાત્પર્ય એ છે કે એકનું પરિપૂર્ણ જ્ઞાન ત્યારે જ થયું કહેવાય કે જ્યારે તેને સર્વ પર્યાયોનો બોધ થાય; અને દરેક પદાર્થ સ્વ-અ પર્યાયમય હોવાથી અવશ્ય સર્વ પરપર્યાયોનું પણ તેમાં અભાવરૂપે જ્ઞાન થાય, અને સ્વના સર્વપર્યાયોનું પણ તેમાં અસ્તિત્વરૂપે જ્ઞાન થાય. તેથી એકને જાણતી વખતે સર્વ પદાર્થનો બોધ થઈ જાય છે, અને સર્વ પદાર્થનું જ્ઞાન થાય ત્યારે જ એક પદાર્થને તે પરિપૂર્ણ જાણે છે.
સૂત્રના કથનનો ફલિતાર્થ એ છે કે, સર્વદ્રવ્યોના સર્વપર્યાયોનું જ્ઞાન થાય