________________
અધ્યાત્મસાર
૧૩૨ દષ્ટિવાળા યોગીઓમાંથી કેટલાક યોગીઓ વિશેષ જ્ઞાનને કારણે જાણે છે કે પોતાનાં કર્મો ભોગએકનાશ્ય છે; અર્થાત્ ભોગ કરીને જ કર્મો નાશ પામે તેવાં છે, તે સિવાય નાશ પામે તેમ નથી. તેથી ભાવિની સંયમની પ્રવૃત્તિને નિરાબાધ કરવા માટે ભોગથી નાશ્ય એવાં કર્મોના નાશ માટે જ તેઓ વિષયોમાં પ્રવૃત્તિ કરે છે.
વળી કેટલાક છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો પોતાનાં કર્મો ભોગએકનાશ્ય છે તેવું નહીં જાણવા છતાં, અન્ય કોઈકનો ઉપકાર થાય તેમ જણાતું હોય કે તેવા કોઈક સંયોગોને કારણે જ ભોગમાં પ્રવૃત્તિ કરે છે. પરંતુ તે જીવોમાં આક્ષેપકજ્ઞાન હોવાને કારણે ભોગકાળમાં પણ વિષયો કોઈ મલિનતા કરી શકતા નથી. તેથી વિષયોની અનિચ્છારૂપ વૈરાગ્ય ત્યાં પણ છે.
આમ છતાં, અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય હોવાને કારણે મુનિ જેવો વિશેષ વૈરાગ્ય તેમને નથી, અને તેથી જ “તેઓમાં સર્વથા વૈરાગ્ય નથી” એમ નહીંએ પ્રમાણેનું કથન કરેલ છે. મુનિને તો પ્રત્યાખ્યાન કષાયના ક્ષયોપશમને કારણે વિષયોની પ્રવૃત્તિ નથી તેથી તેઓને વિશેષ પ્રકારનો વૈરાગ્ય છે, તે અપેક્ષાએ મુનિ કરતાં તેઓની-ચિત્તની ભૂમિકા નીચી છે.
અહીં “સ્વચારતાડડસં” નો અર્થ આ પ્રમાણે છે –
છઠ્ઠી દૃષ્ટિવાળા જીવને આક્ષેપકજ્ઞાન હોય છે, તેથી આત્માના ભાવોમાં તેઓનો વ્યાપાર છે. તે રૂપ સ્વવ્યાપાર છે અને તેનાથી વિષયોમાં આસંગભાવ હણાયેલો છે, તેથી જ વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં છઠ્ઠી દષ્ટિવાળા જીવોને ચોથા ગુણસ્થાનકે પણ વૈરાગ્ય છે.
તે જ વાત વીતરાગસ્તોત્રમાં કહી છે, જે ગ્રંથકાર આગળના શ્લોકમાં બતાવે છે. પ-૧રશા
यदा मरुन्नरेन्द्र श्री-स्त्वया नाथोपभुज्यते ।
यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ।।१३।। અન્વયાર્થ :
નાથ ! હે નાથ ! યા જ્યારે મરેજથી દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મી ત્યથા તમારા વડે ૩૫મુખ્ય ભોગવાય છે તલાવિ ત્યારે પણ તે યત્ર તમને જ્યાં તિઃ નામ રતિ છે તત્ર ત્યાં વિરત્વે વિરક્તભાવ છે. આપ-૧૩