________________
૧૮૭
વૈરાગ્યભેદાધિકાર
છે, અને પોતાની શક્તિ હોવા છતાં સ્વદર્શનના અને અન્યદર્શનના શાસ્ત્રાભ્યાસમાં યત્ન કરતા નથી. શાસ્ત્ર કહે છે કે, આવા જીવની ચારિત્રાચારના સમ્યક્ પાલનરૂપ જે ક્રિયાઓ છે, તેનો નિશ્ચયસંશુદ્ધ સાર તેઓને પ્રાપ્ત થતો નથી. આ કથનનો આશય એ છે કે, ભગવાનના વચનાનુસાર તે ચારિત્રાચારનું પાલન કરે છે, છતાં નિશ્ચયનયને સંમત એવો ક્રિયાનો પારમાર્થિક સા૨ તેમને પ્રાપ્ત થયો નથી.
અહીં વિશેષ એ છે કે સ્વ અને અન્ય શાસ્ત્રના વ્યાપારથી જ સર્વનયોનો યથાર્થ બોધ થાય છે, અને તેને કા૨ણે કોઈ નય પ્રત્યે પક્ષપાત રહેતો નથી, અને તેથી સર્વનયોને સ્વ-સ્વસ્થાનમાં જોડીને મુનિ ૫૨મ મધ્યસ્થ ભાવને પામે છે. આવા ઉત્તમ જ્ઞાન પ્રત્યે જેને ઉપેક્ષાભાવ છે અને કેવળ ચારિત્રાચાર પ્રત્યે જ આદર છે, તેઓમાં ગુણસ્થાનકની પરિણતિરૂપ ચારિત્ર નથી. તે બતાવવા કહે છે કે તેઓ કર્મનો=ચારિત્રાચારની ક્રિયાનો, નિશ્ચયસંશુદ્ધ સાર પામ્યા નથી.
આમ છતાં, માષતુષમુનિ જેવા અલ્પ સામર્થ્યવાળાને દર્શનશાસ્ત્રનો વ્યાપાર નથી, તો પણ તેઓને સ્વ-૫૨શાસ્ત્રના જ્ઞાનનું પૂરું મહત્ત્વ હોવાથી તેવા જ્ઞાનવાળા ગીતાર્થ ગુરુને પરતંત્ર રહીને ચારિત્રની ક્રિયા કરતા હતા; તેથી ગીતાર્થના જ્ઞાનનું તેમનામાં આરોપણ કરીને તેઓમાં ઉપચારથી જ્ઞાનગર્ભ વૈરાગ્ય માન્યો છે.
||૬-૧૮॥
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે સ્વદર્શન અને પરદર્શનનો અભ્યાસ કરવામાં ઉપેક્ષા કરીને ચારિત્રાચારમાં યત્ન કરનારા જીવો, ચારિત્રાચારની ક્રિયાના નિશ્ચયસંશુદ્ધ સા૨ને પામ્યા નથી, એ જ વાત યુક્તિથી બતાવે છે -
सम्यक्त्वमौनयो: सूत्रे, गतप्रत्यागते यतः । नियमो दर्शितस्तस्मात्, सारं सम्यक्त्वमेव हि ।।१९।।
અન્વયાર્થ :
ચતઃ જે કારણથી સૂત્રે સૂત્રમાં સમ્યવત્ત્વમૌનયોઃ સમ્યક્ત્વ અને મૌનનો ગતપ્રત્યાતે નિયમઃ વકૃિતઃ ગતપ્રત્યાગત વિષયમાં નિયમ દેખાડેલો છે, તસ્માત્ તે કા૨ણથી સમ્યવત્ત્વમ્ વ હિ સારૂં સમ્યક્ત્વ જ સાર છે. ||૬-૧૯૫
* ”િ પાદપૂર્તિ માટે છે.