________________
અધ્યાત્મસાર
૧૮૬ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં જેઓની નિપુણ મતિ છે તેઓને જ્ઞાનગર્ભ વૈરાગ્ય છે. ત્યાં પ્રશ્ન થાય કે જે લોકોએ સ્વ-પરદર્શનનો અભ્યાસ કર્યો નથી, છતાં જેઓ જૈનદર્શન પ્રત્યે રુચિવાળા છે અને તેને જ સમજીને સંયમ ગ્રહણ કરેલું છે તથા સારું સંયમજીવન પાળે છે, તેવા જીવોમાં જે વૈરાગ્ય છે તે જ્ઞાનગર્ભ કેમ નથી ? તેથી કહે છે –
न स्वान्यशास्त्रव्यापारे, प्राधान्यं यस्य कर्मणि ।
नासौ निश्चयसंशुद्धं, सारं प्राप्नोति कर्मणः ।।१८।। અન્વયાર્થ
યચ જેને વાજશાસ્ત્રવ્યાપારે સ્વ-પરના શાસ્ત્રના વ્યાપારમાં પ્રાધાન્ય ન પ્રધાનતા નથી, પરંતુ) વર્મળ કર્મમાં ચારિત્રાચારની ક્રિયામાં (પ્રધાનતા છે.) ૩.સૌ એ=જીવ વર્મળ કર્મના ચારિત્રાચારની ક્રિયાના, નિશ્વસંશુદ્ધ સારંનિશ્ચયથી સંશુદ્ધ એવા સારને ન પ્રબોતિ પ્રાપ્ત કરી શકતો નથી. II૬-૧૮ શ્લોકાર્થ :
જેને સ્વ-પરના શાસ્ત્રના વ્યાપારમાં પ્રધાનતા નથી, પરંતુ ચારિત્રાચારની ક્રિયામાં પ્રધાનતા છે, એ જીવ ચારિત્રાચારની ક્રિયાના નિશ્ચયથી સંશુદ્ધસારને પ્રાપ્ત કરી શકતો નથી. II૬-૧૮ ભાવાર્થ
જૈન ધર્મમાં દર્શાવેલા ચારિત્રાચારનું પાલન કરતા કેટલાક સંયમધારી જીવોને, સ્વ અને અન્યદર્શનનાં શાસ્ત્રોના અભ્યાસમાં પ્રાધાન્ય નથી હોતું, અને તેઓ વિરતિને જ જ્ઞાનનું ફળ માને છે; અને તેથી પકાયના જ્ઞાન દ્વારા તેના રક્ષણ અર્થે સંયમમાં યત્નશીલ હોય છે તથા તેનાથી જ ભવનો નિસ્તાર થશે એવી બુદ્ધિ વાળા હોય છે.
આમ, તેઓ વિશેષજ્ઞાન પ્રત્યે ઉપેક્ષાવાળા હોય છે, અને વળી કેટલાક આરાધક જીવો સ્વ-પરદર્શનનો શાસ્ત્રાભ્યાસ કરવામાં સમર્થ પ્રજ્ઞાવાળા હોવા છતાં જ્ઞાનનું ફળ વિરતિ જ છે, એમ માનીને ચારિત્રાચારની ક્રિયામાં જ યત્ન કરતા હોય