________________
૧૪૧
વૈરાગ્યસંભવાધિકાર અન્વયાર્થ :
૩ત્ર અહીં છઠી દૃષ્ટિમાં, મોગયો:ભોગનો વ્યાપાર વત્નીયર ઘર્મશર્જિ બળવાન એવી ધર્મશક્તિને ન હન્તિ હણતો નથી. વિપાપ વાયુ દીવાને બૂઝવનાર એવો વાયુ શ્વતન્ત વાનનમ્ મોટી વાળાવાળા દાવાનળને ન ઈંન્તિ હણતો નથી. II૫-૨૦ની શ્લોકાર્ચ -
છઠ્ઠી દૃષ્ટિમાં ભોગનો વ્યાપાર બળવાન એવી ધર્મશક્તિને હણતો નથી, જેમ દીવાને નાશ કરનાર વાયુ મોટી જ્વાળાઓવાળા દાવાનળને હણતો નથી. પ-૨૦ ભાવાર્થ :
સામાન્ય રીતે ધર્મમાર્ગમાં પ્રસ્થિત જીવો ભોગોથી દૂર રહીને તત્ત્વનું ભાવન કરતા હોય છે, અને તેની પુષ્ટિ માટે તપ-સંયમની આચરણા કરતા હોય ત્યારે, તેમની ધર્મશક્તિ વૃદ્ધિ પામે છે. પરંતુ તે જ જીવ જ્યારે ભોગમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે ધર્મશક્તિ ઘટે છે, કારણ કે આ ધર્મશક્તિના વિરોધી એવા રાગના સંસ્કારો ભોગકાળમાં દઢ થાય છે.
પરંતુ ભોગોની પ્રવૃત્તિના સમયમાં પણ દશાવિશેષને પામેલા જીવોનું ચિત્ત ઉદાસીન ભાવવાળું જ હોય છે, ભોગો ભોગવતી વખતે પણ ભોગ્ય પદાર્થ પ્રત્યે સહેજ પણ લેવાતું નથી. તેથી જ ભોગકાળમાં પણ તત્ત્વના પર્યાલોચનરૂપ ધર્મશક્તિ બળવાન હોય છે. તત્ત્વના પર્યાલોચનને કારણે આત્મસાત્ થયેલા ઉત્તમ સંસ્કારોરૂપ આ બળવાન એવી ધર્મશક્તિને ભોગની પ્રવૃત્તિ હણી શકતી નથી.
જેમ નાના દીવાને ઓલવવા સમર્થ એવો પવન મોટી જ્વાળાઓવાળા દાવાનળને ઓલવી શકતો નથી, તેવી જ રીતે જો પ્રાથમિક કક્ષાની ધર્મશક્તિ ખીલી હોય તો તે આવા ભોગોના વ્યાપારથી હણાઈ જાય છે, પરંતુ જો ધર્મશક્તિ બળવાન બની હોય તો તે ભોગની પ્રવૃત્તિથી પણ હણાતી નથી. - આથી કરીને છઠ્ઠી દૃષ્ટિવાળા એવા તીર્થકરના જીવો ઈન્દ્રાદિક દ્વારા કરાતી જન્માભિષેક આદિ ક્રિયાઓ સમયે પણ આવી વિશિષ્ટ સમૃદ્ધિના ભોગથી પણ સહેજ પણ ભીંજાતા નથી, અને સર્વ પ્રવૃત્તિકાળમાં નિર્લેપ ચિત્તવાળા રહે છે. IFપ-૨oll