________________
૧૪૩
વૈરાગ્યસંભવાધિકાર કરવા છતાં, નિર્લેપ ચિત્તના પ્રવર્તનને કારણે જ તેમને કર્મબંધ થતો નથી, તેથી તેમની ધર્મશક્તિ હણાતી નથી.
વળી, તીર્થકરોને ચરમ ભવમાં વિશેષજ્ઞાન હોવાને કારણે તેઓ જાણે છે કે તેમનાં કર્મો ભોગએકનાશ્ય છે, તેથી તેઓ કર્મોનો ક્ષયને અર્થે જ ભોગોમાં નિર્લેપભાવે પ્રવૃત્તિ કરે છે. જન્મજન્માંતરના વૈરાગ્યના અભ્યાસને કારણે ભોગોનું અને આત્માનું તાત્ત્વિક સ્વરૂપ બુદ્ધિમાં સ્થિર થયેલું હોવાથી, ભોગકાળમાં પણ ભોગની સર્વ ક્રિયાઓ સંશ્લેષ વગર કરે છે. તેથી કર્મબંધ થાય તે પણ ચિકાશ ન હોવાને કારણે તુરત ખરી જાય તેવો હોય છે.
જેમ સૂકી માટીના પિંડને જો ભીંત સાથે અફળાવીએ તો પણ તે ભીંત પર ચોંટતો નથી અને તુરત છૂટો પડી જાય છે, તે જ રીતે વિષયોથી અશ્લિષ્ટ એવા જીવ સાથે યોગને કારણે કર્મરજ અફળાવા છતાં ચોંટતી નથી, અને તેથી તેની બળવાન એવી ધર્મશક્તિ હણાતી નથી. પ-૨૧ાા અવતરણિકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે, વિષયોથી અશ્લિષ્ટ એવો જીવ ભોગો ભોગવવા છતાં બંધાતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે વિષયો પ્રત્યે કોઈ આકર્ષણ નથી તો તેમાં જીવા પ્રવૃત્તિ શા માટે કરે છે ? અને પ્રવૃત્તિ કરે છે તો તેને દુષ્ટ જ કહેવી જોઈએ, કારણ કે વિષયોથી નિવૃત્તિ જ સુંદર છે અને તેનાથી વિપરીત એવી અનિવૃત્તિ દુષ્ટ જ ગણાય. તેના સમાધાનરૂપે કહે છે –
बहुदोषनिरोधार्थ-मनिवृत्तिरपि क्वचित् ।
निवृत्तिरिव नो दुष्टा, योगानुभवशालिनाम् ।।२२।। અન્વયાર્થ :
યોનિમવશાનિનામ્યોગના અનુભવશાળીઓને વહુકોષનિરોધાર્ય બહુદોષના નિરોધ માટે નિવૃત્તિ રૂવ (ભોગોથી) નિવૃત્તિની જેમ વરતુ ક્યારેક નિવૃત્તિરપિ (ભોગોની) અનિવૃત્તિ પણ નો દુર દુષ્ટ નથી. II૫-૨શા શ્લોકાર્થ :
યોગના અનુભવશાળીઓને બહુદોષના નિરોધ માટે ભોગોથી નિવૃત્તિની જેમ ક્યારેક ભોગોની અનિવૃત્તિ પણ દુષ્ટ નથી. પ-રશા