________________
૧પ૭
વૈરાગ્યસંભવાધિકાર ચોથા ગુણસ્થાનકમાં છઠી દૃષ્ટિવાળા મહાત્માઓને વિષયોનો સંકલ્પ નથી, પરંતુ કારણવિશેષથી પ્રવૃત્તિ હોય છે. અને તે જ છઠ્ઠી દૃષ્ટિવાળા મહાત્માઓને છઠા ગુણસ્થાનકમાં તો વિષયોની નિવૃત્તિનો શ્રમ નથી, પરંતુ સ્વભાવથી જ નિવૃત્તિ છે. પ-૩શા અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં બતાવ્યું તે પ્રમાણે, છઠી દષ્ટિવાળા જીવો ક્યારેક વિષયોમાં પ્રવૃત્તિ કરતા હોય તો પણ તેઓના ઈન્દ્રિયોના વિકાર હીન થાય છે, ત્યાં પ્રશ્ન થાય કે વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં ઈન્દ્રિયોના વિકાર હીન થાય છે, તો તે પ્રવૃત્તિ કેવા પ્રકારની છે ? તેથી કહે છે –
दारुयन्त्रस्थपाञ्चाली-नृत्यतुल्या: प्रवृत्तयः ।
योगिनो नैव बाधायै, ज्ञानिनो लोकवर्तिनः ।।३३।। અન્વયથાર્થ :
તોર્તિનઃ યોનિઃ શનિનઃ લોકવર્તી યોગી એવા જ્ઞાનીઓને રાયત્રીપાશ્વાતીનૃત્યતુલ્યા: લાકડામાં યંત્ર વડે સ્થાપેલી ગોઠવેલી, પૂતળીના નૃત્ય જેવી પ્રવૃત્તિય (ભોગાદિની) પ્રવૃત્તિઓ વધાળે બાધા માટે ન વ નથી જ.IN
૩૩
શ્લોકાર્ચ - * લોકવર્તી યોગી એવા જ્ઞાનીઓને લાકડામાં યંત્ર વડે ગોઠવેલી પૂતળીના નૃત્ય જેવી ભોગાદિની પ્રવૃત્તિઓ બાધા માટે નથી જ. IIT-૩૩ ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે છઠ્ઠી દૃષ્ટિવાળા મહાત્માઓનો વૈરાગ્ય અદ્ભુત છે. આવા જ્ઞાની જીવોએ જ્ઞાનભાવને સત્તત્ત્વચિંતાથી આત્મસાત્ કર્યો છે, તેથી તેઓ સંસારમાં હોવા છતાં દરેક પ્રવૃત્તિઓમાં નિર્લેપ હોય છે. વળી, મોક્ષમાર્ગમાં જવા માટે ઉદાસીન ભાવરૂપ યોગમાર્ગને ધારણ કરનારા હોવાથી યોગી છે, તેથી સંસારમાં ભોગાદિની કે રાજ્યાદિની પ્રવૃત્તિ કરે તેમાં તેમનું ચિત્ત ઉદાસીનભાવવાળું જ હોય છે.