________________
અધ્યાત્મસાર
૧૬૪
સામાન્ય રીતે સંસારમાં દરિદ્ર અવસ્થા હોય, અતિ દુ:ખો પ્રાપ્ત થતાં હોય ત્યારે કોઈ મહાત્માને જોઈને ધર્મ ક૨વાની મનોવૃત્તિ થાય છે, અને સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય છે, જે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. પરંતુ કેટલીક વખત ઘણી ભોગસામગ્રી પ્રાપ્ત થઈ હોય છતાં કોઈ નિકટના સંબંધીના મૃત્યુથી, કે પોતે ધારેલી કોઈ વસ્તુની અપ્રાપ્તિથી પણ દુ:ખગર્ભિત વૈરાગ્ય થાય છે. વળી આ દુઃખગર્ભિત વૈરાગ્ય પણ યોગ્ય જીવને ધર્મની સામગ્રી પ્રાપ્ત થયા પછી જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ પણ બને છે, અને તે રીતે તેના આત્મકલ્યાણનું કારણ પણ બને છે.
જો સંસારના વિષયોનું અતિ આકર્ષણ ચિત્તમાં પડ્યું હોય, તો મહાત્માના સંસર્ગથી કે શાસ્ત્રના અભ્યાસથી પણ તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું કારણ બને નહીં. તેમાં ફક્ત પોતાને પ્રાપ્ત થતાં દુઃખોને કારણે સંસારના ભોગો પ્રત્યે ઉદ્વેગ વર્તતો હોય છે, તેથી જ્યારે તે ભવમાં કે અન્ય ભવમાં વિશિષ્ટ ભોગસામગ્રી પ્રાપ્ત થાય ત્યારે, વિષયોનું આકર્ષણ પ્રગટ થવાથી, તેવી મનોવૃત્તિવાળા જીવોને તે દુઃખગર્ભિત વૈરાગ્ય ફક્ત તુચ્છ પુણ્યને અનુકૂળ ધર્મમાં યત્ન કરાવીને સમાપ્ત થાય છે. II૬–૧ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં બતાવ્યું કે દુઃખગર્ભિત વૈરાગ્ય વિષયની અપ્રાપ્તિથી સંસા૨ પ્રત્યે ઉદ્વેગસ્વરૂપવાળો છે. હવે તેનું વિશેષ સ્વરૂપ બતાવે છે -
अत्राङ्गमनसोः खेदो, ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ||२||
અન્વયાર્થ :
ત્ર અહીં=પ્રથમ પ્રકારના વૈરાગ્યમાં, ગમનસો: એવઃ શરીર અને મનનો ખેદ હોય છે, યત્ જે કારણથી આખાય જ્ઞાનં ન તૃપ્તિ કરાવે તેવું જ્ઞાન નથી. નિઝામીસિતનામે =અને પોતાની ઇચ્છિત વસ્તુનો લાભ થયે છતે વિનિપાતોઽપિ નાયતે (વૈરાગ્યનો) વિનિપાત પણ થાય છે.
નોંધઃ
“વિનિપાતોઽપિ” માં ‘પિ’ થી એ કહેવું છે કે દુ:ખગર્ભિત વૈરાગ્યવાળા જીવોને નિજ અભિપ્સિતનો લાભ થયે છતે વૈરાગ્યનો વિનિપાત પણ થાય છે, અને કોઈ જીવને વૈરાગ્યનો વિનિપાત ન પણ થાય.