________________
અધ્યાત્મસાર
૧૭૬ શુભ પરિણામરૂપ નથી. કેમ કે ચિત્તમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ પોતાની રુચિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો અસહ છે. તેથી જેમ સંસારમોચકમતવાળાઓનો સ્થૂલથી જોઈએ તો શુભ આશય છે, પરંતુ વિવેક વગરનો હોવાથી અશુભ છે; તેમ ભગવાનના વચનથી વિરુદ્ધ બોલનારાઓનો તપ-સંયમનો પરિણામ પણ ચૂલથી શુભ દેખાય તો પણ, અસદ્ગહરૂપ અવિવેકથી દુષ્ટ હોવાને કારણે અશુભરૂપ જ છે.
આથી જ આવા જીવો તપ-સંયમ કરીને પણ અનેક જીવોને ઉત્સુત્ર ભાષણ દ્વારા ઉન્માર્ગમાં પ્રવર્તાવીને દુર્લભબોધિ બને છે. li૬-૧૦ના અવતરણિકા :
શ્લોક-૮ માં અન્યદર્શનમાં રહેલા અને શ્લોક-૯ માં સ્વદર્શનમાં રહેલા મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનું સ્વરૂપ બતાવ્યું. હવે ભવનગૃષ્ણના દર્શનને કારણે તેઓમાં દેખાતો ઉપશમ પણ તત્ત્વથી અનર્થરૂપ છે, તે બતાવે છે -
अमीषां प्रशमोऽप्युच्चै-र्दोषपोषाय केवलम् ।
अन्तर्निलीनविषम-ज्वरानुद्भवसन्निभः ।।११।। અન્વયાર્થ
સન્તર્નિનીનવિષમજ્વરનુમત્તિમાં શરીરની અંદરમાં નિલીન થયેલા વિષમજ્વરના અનુભવ જેવો ૩મીષાં આ લોકોનો-મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનો પ્રશમોડપિ પ્રશમ પણ વેશ્વતમ્ રોષપોષાય કેવળ અત્યંત દોષ પોષવા માટે છે. II૬-૧૧ના નોધ :
“પ્રશમોડજિ” માં 3નો ભાવ એ છે કે આ લોકોની ક્રિયા અને વૈરાગ્ય તો દોષના પોષણ માટે છે જ, પરંતુ પ્રશમ પણ કેવળ દોષના પોષણ માટે છે. શ્લોકાર્થ :
શરીરની અંદરમાં નિલીન થયેલા વિષમજ્વરના અનુભવ જેવો મોહગર્ભિત વૈરાગ્યવાળા જીવોનો પ્રશમ પણ કેવળ અત્યંત દોષ પોષવા માટે છે.
I૬-૧૧||