________________
૧૭૫
વૈરાગ્યભેદાધિકાર संसारमोचकादीना-मिवैतेषां न तात्त्विकः ।
शुभोऽपि परिणामो य-ज्जाता नाज्ञारुचिस्थितिः ।।१०।। અન્વયાર્થ:
સંસારમોરારીનામ સંસારમોચકાદિની જેમતેષામ્ આ લોકોનો=સિદ્ધાંત ઉપજીવી એવા વિરુદ્ધાર્થ બોલનારાઓનો રામ: ૩ પરિણામ શુભ પણ પરિણામ ન તત્ત્વિ તાત્ત્વિક નથી. જે કારણથી ૩જ્ઞાવિરતિન ગતિ આજ્ઞારુચિની સ્થિતિ પેદા થઈ નથી આત્મામાં આજ્ઞા પ્રત્યેની રુચિનું અવસ્થાન થયું નથી. 19૧ણી. શ્લોકાર્થ :
આ સંસારમાંચકાદિની જેમ સિદ્ધાંત ઉપજીવી એવા વિરુદ્ધ બોલનારાઓનો શુભ પણ પરિણામ તાત્વિક નથી, જે કારણથી આત્મામાં આજ્ઞા પ્રત્યેની રુચિનું અવસ્થાન થયું નથી. I૬-૧૦ના ભાવાર્થ :
સંસારમોચકમતવાળા એમ માને છે કે, દરેક જીવના સંસારના ભવો નિશ્ચિત જ છે, અને જે જીવો સંસારમાં દુઃખથી પીડાતા હોય તેઓને જલદીથી મારી નાંખવામાં આવે, તો તેમનો એક ભવ જલદી પૂરો થાય. તેથી તેઓનો એક ભવ ઓછો થાય અને તેઓનો મોક્ષ જલદી થાય. અહીં દુઃખવાળા ભવથી છોડાવીને જલદી મોક્ષમાં મોકલવાનો તેઓનો આશય શુભ છે, અને મારવાનો પણ અન્ય કોઈ આશય નથી. તેમ છતાં, તત્ત્વથી આ શુભ પરિણામ પણ શુભ નથી જ, કેમ કે વિવેકી જીવે તો દુઃખથી પીડાતા જીવોને આશ્વાસન આપીને શુભ પરિણામ થાય તેવો યત્ન કરવો જોઈએ, તેને બદલે તેને મારવાનો યત્ન કરવામાં આવે, તો તે દુઃખી જીવોને દુર્બાન આદિ થાય અને તેથી ક્લિષ્ટ કર્મબંધ તથા સંસારની વૃદ્ધિ થાય છે. પરંતુ અવિવેકને કારણે સંસારમોચકમતવાળાઓ તે પરિણામને શુભ પરિણામ માને છે, તે પરમાર્થથી અશુભ જ છે.
તે જ રીતે ભગવાનના શાસનમાં દીક્ષા ગ્રહણ કરીને પોતાની રુચિ પ્રમાણે ઉપદેશ આપવાની પ્રવૃત્તિ જેઓ કરે છે, તેઓને ભગવાનની આજ્ઞાની રુચિ નથી; અને જેમને ભગવાનની આજ્ઞાની રુચિ નથી, તેઓની તપ-સંયમની સર્વ ક્રિયા પણ