________________
૧૬૭
વૈરાગ્યભેદાધિકાર
शुष्कतर्कादिकं किञ्चि-द्वैद्यकादिकमप्यहो ।
पठन्ति ते शमनदी, न तु सिद्धान्तपद्धतिम् ।।४।। અન્વયાર્થ -
૩ો અહો ! આશ્ચર્ય છે કે તે તેઓ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો વિચિત્ કાંઈક શુત શુષ્ક એવા તકદિને કે વૈચામ્િ ૩પ વૈદ્યકાદિને પણ પત્તિ ભણે છે, તું પરંતુ શમન સિદ્ધાન્તપદ્ધતિમ્ ન સમતાની નદી સમાન સિદ્ધાંતની પદ્ધતિને ભણતા નથી. II૬-૪ શ્લોકાર્ચ -
અહો ! આશ્ચર્ય છે કે દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો કાંઈક શુષ્ક એવા તર્યાદિને કે વૈદ્યકાદિને ભણે છે, પરંતુ સમતાની નદી સમાન એવી સિદ્ધાંતની પદ્ધતિને ભણતા નથી. II૬-૪ના ભાવાર્થ :
દુઃખથી વિરક્ત થયેલા જીવો સંયમ ગ્રહણ કરીને જ્ઞાનમાં જ્યારે યત્ન કરે છે ત્યારે, તેઓ આ લોકમાં ઉપયોગી એવું વૈદ્યકાદિનું જ્ઞાન મેળવે છે, જેથી સંયમમાં પણ ગૃહસ્થો પાસેથી અનુકૂળતા પ્રાપ્ત થઈ શકે. વળી કોઈક ધર્મશાસ્ત્રો પણ ભણે છે, પરંતુ તે પણ શુષ્ક તકદિકરૂપે જ ભણે છે. તેથી શાસ્ત્રમાંનાં વચનોનો શબ્દમાત્રથી જ તેમને બોધ થાય છે.
ખરેખર શાસ્ત્રની સિદ્ધાંત પદ્ધતિ એ છે કે, શાસ્ત્રનાં દરેક વચનો જે નયને સાપેક્ષ હોય તે સર્વને તે રીતે જ સમજીને સ્વસ્થાનમાં નયોને યોજવા. આ પ્રમાણે અધ્યયન કરવાથી જ શાસ્ત્રના વચન દ્વારા જીવ ધીરે ધીરે શમ પરિણામ તરફ જાય છે. કારણ કે આ સિદ્ધાંતપદ્ધતિથી અધ્યયન કરનારને અંશે અંશે પણ શમ પરિણામ આવતો જ જાય છે.
પરંતુ દુઃખગર્ભિત વૈરાગ્યવાળાનું ચિત્ત સાંયોગિક સુખ પ્રત્યે આવર્જિત હોવાથી અસાંયોગિક એવા ઉપશમભાવ તરફ જવા સમર્થ બનતું નથી, તેથી જ તેવા જીવોને આ જ્ઞાન તૃપ્તિ કરાવતું નથી. I૬-જા