________________
વૈરાગ્યભેદાધિકાર
૧૬૯ તેના નિરાકરણ માટે કહે છે -
वेषमात्रभृतोऽप्येते, गृहस्थात्रातिशेरते ।
न पूर्वोत्थायिनो यस्मा-त्रापि पश्चानिपातिनः ।।६।। અન્વયાર્થ:
વેશમાત્રામૃતોડગેતે વેશમાત્રને ધારણ કરનારા પણ આ=દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો મૃદરથાત્ જ તિશેત્તે ગૃહસ્થથી ચડિયાતા નથી માત્ જે કારણથી પૂર્વોત્યાયિન: ર પૂર્વાવસ્થાથી ઉત્થાયી નથી=દીક્ષા લીધા પહેલાની ગૃહસ્થાવસ્થાથી ઊંચે ચડેલા નથી. ના પરચાત્ નિપતિન: પશ્ચાતાવસ્થામાં પણ પ્રવેશેલા નથી= ગૃહસ્થાવસ્થાની પછીની સાધુઅવસ્થામાં પણ પ્રવેશેલા નથી. II૬
શ્લોકાર્ય :
વેશમાત્રને ધારણ કરનારા પણ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો ગૃહસ્થથી ચડિયાતા નથી; જે કારણથી દીક્ષા લીધા પહેલાંની ગૃહસ્થાવસ્થાથી ઊંચે ચડેલા નથી, ગૃહસ્થાવસ્થાની પછીની સાધુપણાની અવસ્થામાં પણ પ્રવેશેલા નથી. II-કા ભાવાર્થ :
ગૃહસ્થભાવ અવિરતિના ભાવ સ્વરૂપ છે, તથા મુનિભાવ એ વિરતિના ભાવસ્વરૂપ છે, અને તેની પુષ્ટિ માટે જ સાધુપણામાં અહિંસાદિનું ભાવથી પૂર્ણપણે પાલન કરવાનું હોય છે. પરંતુ દુઃખગર્ભિત વૈરાગ્યવાળા જીવો સાધુવેશ ધારણ કરીને અહિંસાદિનું માત્ર દ્રવ્યથી પાલન કરતા હોય ત્યારે, ભાવથી માત્ર અહિંસાદિના પાલનની શુભલેશ્યા જ હોય છે; અને સંસારના ઉચ્છેદના કારણરૂપ સંયમનો પરિણામ તેઓને થતો નથી. સાધુના વેશને ધારણ કર્યા પછી પણ પૂર્વની ગૃહસ્થાવસ્થામાં અવિરતિનો જે પરિણામ હતો તેનાથી ઉત્થાયી થતા નથી, અર્થાત્ બહાર નીકળતા નથી; અને ગૃહસ્થ અવસ્થાથી અપર એવા વિરતિના પરિણામરૂપ મુનિભાવમાં નિપાતી થતા નથી=પ્રવેશ પામતા નથી. ટૂંકમાં ગૃહસ્થાવસ્થાથી ઊંચા એવા વિરતિના ભાવને સ્પર્શતા નથી, તેથી જ તેઓ વેશમાત્રના ભેદ સિવાય ગૃહસ્થથી અધિક નથી.