________________
અધ્યાત્મસાર
૧૬૨ અવશ્ય હોય છે, પરંતુ પાંચમી દષ્ટિવાળા જીવનું આ યથાર્થ જ્ઞાન પરિપાકને પામેલું નથી હોતું, જ્યારે છઠી દૃષ્ટિવાળાનું યથાર્થ જ્ઞાન પરિપક્વ હોય છે. આ પરિપક્વ બનેલા જ્ઞાનને કારણે જ આવા જીવો વિષયોમાં સંજોગોવશાતુ પણ કોઈ પ્રવૃત્તિ કરે, ત્યારે તેમના ચિત્ત પર આ વિષયોની કોઈ છાયા પડતી નથી; અને ઉદાસીન એવા ચિત્તથી જ સર્વ પ્રવૃત્તિ થાય છે. આમ, છઠી દૃષ્ટિવાળા જીવોનું પરિપક્વ જ્ઞાન ભોગાદિની પ્રવૃત્તિમાં પણ ઉદાસીન ચિત્ત પેદા કરે છે, તેથી ચોથા પણ ગુણસ્થાનકમાં છઠી દૃષ્ટિવાળા જીવોની અપેક્ષાએ વૈરાગ્ય વ્યવસ્થિત છે. આપ૩૬ાા.
- II રૂચધ્યાત્મિરનારે વૈરાગ્યરસન્નવાધિeીરઃ III