________________
૧૬૧
વૈરાગ્યસંભવાધિકાર થતા પરિત્રાસ જેવાં કહ્યાં છે અને જીવને સિંહ જેવો કહ્યો છે. કેમ કે તે જીવ આત્માના વીર્યને ફોરવીને આવાં કર્મોના પરિત્રાસનો નાશ કરે છે, અર્થાત્ ભોગકર્મના ઉદયને કારણે ભોગો ભોગવે છે, તો પણ તે ભોગાવલી કર્મો આત્માને મલિન કરી શકતાં નથી.
આમ, તીર્થંકરાદિના જીવ પોતાના જ્ઞાનથી જાણે છે કે પોતાનાં ભોગએકનાશ્ય કર્મો સંયમમાં વિઘ્ન પેદા કરે તેવાં છે. તેથી ભાવિના સંયમજીવનમાં પરિત્રાસ કરે તેવાં વિનોના નિરાસરૂપ ફળથી યુક્ત એવી, નિર્લેપચિત્તથી કરાતી તેઓની સંસારની પ્રવૃત્તિ છે. તેથી શાસ્ત્રમાં અપવાદસ્થાનથી તે પ્રવૃત્તિ સ્વીકારાઈ છે.
પ-રૂપા અવતરણિકા -
વૈરાગ્યસંભવ અધિકારનું નિગમન કરતાં કહે છે -
औदासीन्यफले ज्ञाने, परिपाकमुपेयुषि ।
चतुर्थेऽपि गुणस्थाने, तद्वैराग्यं व्यवस्थितम् ।।३६।। અન્વયાર્થ :
તત્ તે કારણથી પરિપામ્ પેજ પરિપાકને પ્રાપ્ત કરતું એવું વીવાસીચને જ્ઞાને ઉદાસીન ફળવાળું જ્ઞાન હોતે છતે તુર્થે ૩પ ગુરથાને ચોથા પણ ગુણસ્થાનકમાં વૈરા વ્યવરિચતમ્ વૈરાગ્ય વ્યવસ્થિત છે. આપ-૩૬ાા શ્લોકાર્ચ -
તે કારણથી શ્લોક-૯માં કહ્યું કે ભવનેગૃષ્ણના દર્શનને કારણે વિષયોમાં અપ્રવૃત્તિથી વૈરાગ્ય નિરાબાધ થશે, ત્યાં ચોથા ગુણસ્થાનકમાં પણ વૈરાગ્ય માનવાની આપત્તિ આવી. તેના સમાધાન માટે કહ્યું કે દશાવિશેષમાં ત્યાં પણ વૈરાગ્ય નથી એમ નહીં, અને તે પછી તે જ વાતની પુષ્ટિ પાછળના શ્લોકોમાં કરી તે કારણથી, પરિપાકને પ્રાપ્ત કરતું એવું ઉદાસીન ફળવાળું જ્ઞાન હોતે છતે, ચોથા પણ ગુણસ્થાનકમાં વૈરાગ્ય વ્યવસ્થિત છે. આપ-૩ાા ભાવાર્થ -
ચોથા ગુણસ્થાનકમાં દરેક સમ્યગ્દષ્ટિ જીવને તત્ત્વાતત્ત્વનું યથાર્થ જ્ઞાન