________________
અધ્યાત્મસાર
૧૪૨ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે ભોગનો વ્યાપાર પણ બળવાન એવી ધર્મશક્તિને હણી શકતો નથી, તો પ્રશ્ન થાય કે ભોગની ક્રિયા તો કર્મબંધનું કારણ હોવાથી તે સર્વથા ધર્મશક્તિને હણી ન શકે તે કેમ સંભવે ? તેથી કહે છે -
बध्यते बाढमासक्तो, यथा श्लेष्मणि मक्षिका ।
शुष्कगोलवदश्लिष्टो, विषयेभ्यो न बध्यते ।।२१।। અન્વયાર્થ :
યથા જેમ ફ્લેશ મા શ્લેષ્મમાં મક્ષિકા=ગળફામાં માખી, (ચોંટે છે) તેમ સજ્જ (વિષયોમાં) આસક્ત જીવ વાઢમ્ વધ્યતે નિશ્ચિતપણે (કર્મથી) બંધાય છે. શુગોવત્ સૂકી માટીનો પિંડ ભીંત સાથે અફળાવવા છતાં ચોંટતો નથી (તેમ) વિષમ્ય રત્ન: વિષયોથી અશ્લિષ્ટ જીવ ન વધ્યતે (કર્મથી) બંધાતો નથી. II૫-૨૧ાા શ્લોકાર્થ :
જેમ શ્લેષ્મમાંeગળફામાં, મક્ષિકા ચોંટે છે, તેમ વિષયોમાં આસક્ત જીવ નિશ્ચિતપણે કર્મથી બંધાય છે. સૂકો માટીનો પિંડ ભીંત સાથે અફળાવવા છતાં ચોંટતો નથી, તેમ વિષયોથી અશ્લિષ્ટ જીવ કર્મથી બંધાતો નથી. પ-૨ll ભાવાર્થ :
સંસારી જીવ દ્વારા કરાતી કોઈપણ ક્રિયા યોગસ્વરૂપ છે અને યોગથી જીવમાં કર્મ આવે છે. પરંતુ તેનો બંધ તે સમયના જીવના પરિણામને આધીન હોવાથી, જો ભોગકાળમાં જીવ આસક્ત થાય તો તે અવશ્ય બંધાય છે. જેમ શ્લેખ ઉપર બેઠેલી માખી અવશ્ય ચોંટે છે, તેમ ભોગની પ્રવૃત્તિમાં આસક્ત જીવ અવશ્ય કર્મબંધ કરે છે.
જ્યારે વિષયોમાં અનાસક્ત હોવાથી દશાવિશેષને પામેલા જીવોને કર્મબંધ થતો નથી. જેમ પૃથ્વીચંદ્ર ચરમ ભવમાં રાજ્ય ગ્રહણ કર્યું તથા ગુણસાગરે ચરમ ભવમાં લગ્ન કરવાની ક્રિયા પણ કરી, તે ક્રિયાઓ તેવા પ્રકારના સંજોગોને કારણે જ હતી. માતાપિતાના અતિશય આગ્રહને કારણે ભોગની આવી વિશિષ્ટ પ્રવૃત્તિ