________________
૧૪૫
વૈરાગ્યસંભવાધિકાર અવતરણિકા :
નિવૃત્તિની જેમ અનિવૃત્તિ પણ ક્યારેક દુષ્ટ નથી એમ કહ્યું, તેની જ પુષ્ટિ કરવા અન્યની સાક્ષીરૂપે શ્રુતિવેદનું વચન કહે છે –
यस्मिन्निषेव्यमाणेऽपि, यस्याशुद्धिः कदाचन ।
तेनैव तस्य शुद्धिः स्यात्, कदाचिदिति हि श्रुतिः ।।२३।। અન્વયાર્થ:
રિમનું નિવેવ્યમાડપિ જે (ભોગો) ભોગવતે છતે પણ સ્ક્રીન ક્યારેક ચર્ચા કરશુદ્ધિઃ જેનીeભોગવનારની, અશુદ્ધિ (થાય) છે; તેન વ તેના વડે જ તે ભોગો વડે જ, વત્ ક્યારેક તરય શુદ્ધિઃ સ્થાત્ તેની=ભોગવનારની, શુદ્ધિ થાય છે. તિ હિ શ્રુતિઃ આ પ્રકારની જ શ્રુતિ છેઃવેદનું વચન છે. પ-૨૩ાા શ્લોકાર્ચ -
જે ભોગો ભોગવતે છતે પણ ક્યારેક ભોગવનારની અશુદ્ધિ થાય છે, તે ભોગો વડે જ ક્યારેક ભોગવનારની શુદ્ધિ થાય છે, એ પ્રકારનું જ વેદનું વચન છે. II૫-૨all ભાવાર્થ :
વેદના કથનથી એ પ્રાપ્ત થાય છે કે, સામાન્ય રીતે વિષયોના સેવનથી જીવને અશુદ્ધિ થાય છે, પરંતુ ક્યારેક અશુદ્ધિના કારણભૂત એવા તે જ વિષયો શુદ્ધિનું પણ કારણ બને છે; અને તેથી જ જ્યારે વિષયો શુદ્ધિના કારણભૂત બનતા હોય ત્યારે જ યોગઅનુભવશાળી જીવો તેમાં પ્રવૃત્તિ કરે છે. યોગની છઠી દૃષ્ટિવાળા જીવો આવી પ્રવૃત્તિમાં અન્યનો કોઈ લાભ જુએ છે, અથવા પોતાનાં ભોગએકનાશ્ય કર્મો જુએ છે ત્યારે, અને તેને કારણે જ, તેમનું ચિત્ત વિષયોને ભોગવવાની વૃત્તિવાળું ન હોવા છતાં ભોગોને ભોગવવાની પ્રવૃત્તિ પણ કરે છે.
તીર્થંકરાદિ જીવોનો ચરમભવ કેવળ સ્વપરહિતની સાધના માટે જ હોય છે. તેથી જેમ ઉચિત કાળે સંયમ ગ્રહણ કરે છે તેમ ઉચિત કાળે ભોગની પ્રવૃત્તિ પણ કરે છે. તેમની આ ઉચિત પ્રવૃત્તિ જ તેમની શુદ્ધિનું કારણ બને છે. તેમના પૂર્વભવોમાં જે ભોગોથી રાગાદિના ભાવને કારણે કર્મબંધ થતો હતો, તે જ ભોગોથી