________________
૧૩૧
વૈરાગ્યસંભવાધિકાર અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે ચોથા ગુણસ્થાનકે રહેલા આત્માને ચારિત્રમોહનીયના ઉદયના કારણે વૈરાગ્ય હોતો નથી, તે વાત યોગની પાંચમી દૃષ્ટિવાળા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને આશ્રયીને કરી. હવે યોગની છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરત સમ્યગ્દષ્ટિ જીવને વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં વૈરાગ્ય છે, તે બતાવે છે –
दशाविशेषे तत्रापि, न चेदं नास्ति सर्वथा । .
स्वव्यापारहताऽऽसङ्गं, तथा च स्तवभाषितम् ।।१२।। અન્વયાર્થ :
રાપરહંતાડડસ રૂ ર અને સ્વવ્યાપારને કારણે (વિષયોમાંથી) હરાઈ ગયો છે આસંગભાવ જેમાં એવો આ=વૈરાગ્ય દ્રશાવિશેષે તત્ર દશાવિશેષમાં ત્યાં પણ=ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા નારિત સર્વથા નથી એમ નહીં તથા ૨ સ્તવમાવતમ્ અને તે પ્રકારે વીતરાગસ્તવમાં કહ્યું છે. પ-૧રશા
અહીં શબ્દ વૈરાગ્ય માટે વપરાયો છે અને “રવવ્યાપારતાડડસ” એ રુ નું હેતુઅર્થક વિશેષણ છે. શ્લોકાર્ચ -
અને સ્વવ્યાપારને કારણે વિષયોમાંથી હરાઈ ગયો છે આસંગભાવ જેમાં એવો વૈરાગ્ય, દશાવિશેષમાં ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા નથી એમ નહીં, અને તે પ્રકારે વીતરાગસ્તવમાં કહેલું છે. આપ-૧થા ભાવાર્થ :
અવિરત સમ્યગ્દષ્ટિની બે ભૂમિકા છે. પ્રથમ ભૂમિકા યોગની પાંચમી દૃષ્ટિમાં હોય છે અને બીજી ભૂમિકા યોગની છઠી દૃષ્ટિમાં હોય છે. અહીં યોગની છઠી દૃષ્ટિવાળા જીવોને ગ્રહણ કરવા માટે જ દશાવિશેષ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનાથી એમ કહેવું છે કે અવિરત સમ્યગ્દષ્ટિ પણ છઠી દૃષ્ટિરૂપ દશાવિશેષમાં હોય ત્યારે, ચોથા ગુણસ્થાનકમાં હોવા છતાં પણ તેને કાંઈક વૈરાગ્ય છે, તેનું કારણ તેઓમાં વર્તતો છઠ્ઠી યોગદૃષ્ટિનો પરિણામ છે. અને તે છઠ્ઠી દૃષ્ટિના પરિણામના કારણે જ તેઓને ભોગપ્રવૃત્તિમાંથી આસંગભાવ ચાલ્યો જાય છે. કેમ કે છઠ્ઠી