________________
અધ્યાત્મસાર
૧૨૮
અવતરણિકા - *
પૂર્વે કહ્યું કે વિષયોની પ્રવૃત્તિવાળા ચિત્તમાં વૈરાગ્યનો ઉદ્ભવ સંભવી જ ન શકે. તો પ્રશ્ન થાય કે વૈરાગ્ય કેવી રીતે ઉદ્ભવે ? તેથી હવે વૈરાગ્યના ઉદુભવનું કારણ બતાવે છે –
भवहेतुषु तद्वेषा-द्विषयेष्वप्रवृत्तितः । ।
वैराग्यं स्यानिराबाधं, भवनैर्गुण्यदर्शनात् ।।९।। અન્વયાર્થ
તત્ તે કારણથી=પૂર્વે કહ્યું કે વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય અસંભવ છે . તે કારણથી, મનેíર્શનાર્ ભવનેગૃષ્ણના દર્શનને કારણે મવહેતુપુ ષાત્ ભવના હેતુઓમાં દ્વેષ થાય છે, તેના કારણે વિષયેષુ ૩ પ્રવૃત્તિતા વિષયોમાં અપ્રવૃત્તિ થવાથી નિવાં વૈરાન્ચે રચાત્ (વિષયોની અનિચ્છારૂપ) નિરાબાધ એવો વૈરાગ્ય થાય છે. આપ-લાંશ્લોકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે વિષયસુખની સિદ્ધિથી વેરાગ્ય અસંભવ છે, તે કારણથી ભવનેગૃષ્ણના દર્શનને કારણે ભવના હેતુઓમાં દ્વેષ થાય છે, તેના કારણે વિષયોમાં અપ્રવૃત્તિ થવાથી વિષયોની અનિચ્છારૂપ નિરાબાધ એવો વેરાગ્ય થાય છે. પિતા ભાવાર્થ -
ભવસ્વરૂપના ચિંતનથી ભવ નિર્ગુણ લાગે છે અને તેથી ભવના હેતુઓ પ્રત્યે દ્વેષ પેદા થાય છે, જેના કારણે વિષયોની અનિચ્છારૂપ વૈરાગ્ય પેદા થાય છે; પરંતુ ફરી પાછી વિષયોમાં પ્રવૃત્તિ કરવાથી આ વૈરાગ્ય બાધા પામે છે. જેમ કોઈક ' પ્રમાતાને વૈરાગ્ય નિષ્પન્ન થયા પછી કોઈક સંજોગોના કારણે સંયમનું ગ્રહણ ન થઈ શકે, અને એવા નિમિત્તને કારણે વિષયોમાં પ્રવૃત્તિ થાય છે; તો આવે સમયે અનાદિના સંસ્કારો વિષયોમાં પ્રવૃત્તિના જ હોય છે, અને વર્તમાનમાં પણ વિષયોની ઈચ્છાના જ સંસ્કારો હોવાથી, વિષયોમાં પ્રવૃત્તિ થવાથી વિષયોની અસર ચિત્ત પર પડે છે, અને તેથી વૈરાગ્ય બાધા પામે છે. પરંતુ જે જીવને વૈરાગ્ય વર્તતો હોય અને વિષયોમાં પણ અપ્રવૃત્તિ હોય તો તેનો વૈરાગ્ય નિરાબાધ બને છે. પહેલા