________________
૫૫
અધ્યાત્મસ્વરૂપાધિકાર
अपि स्वरूपतः शुद्धा, क्रिया तस्माद्विशुद्धिकृत् । मौनीन्द्रव्यवहारेण, मार्गबीजं दृढादरात् ।। २६ ।। ।।૨૬।।
અન્વયાર્થ :
તરમાત્ તે કારણથી—દ્વિતીય અનુષ્ઠાનથી મંડૂકચૂર્ણ જેવી દોષહાનિ થાય છે તે કારણથી, મૌનીન્દ્રવ્યવહારેળ જિનેશ્વર ભગવાનના વ્યવહારથી વિશુદ્ધિત્ વિશુદ્ધિને કરનાર એવી વપતઃ સુદ્ધા યિા સ્વરૂપથી શુદ્ધ ક્રિયા ઋષિ પણ વૃંદાવરાત્ મર્મવીનું દૃઢ આદરને કા૨ણે માર્ગબીજ છે. ||૨-૨૬||
શ્લોકાર્થ :
દ્વિતીય અનુષ્ઠાનથી મંડૂકચૂર્ણ જેવી દોષહાનિ થાય છે તે કારણથી, જિનેશ્વર ભગવાનના વ્યવહારથી વિશુદ્ધિને કરનાર એવી સ્વરૂપથી શુદ્ધ ક્રિયા પણ દૃઢ આદરને કારણે માર્ગબીજ છે. II૨–૨૬ા
ભાવાર્થ:
શ્લોક-૨૫માં બતાવ્યું કે દ્વિતીય સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી કંઈક દોષહાનિ થાય છે તે કારણથી, હજી સૂક્ષ્મબોધને પામ્યા નથી તેવા જીવોને, ભગવાને બતાવેલા વ્યવહારમાર્ગથી આચરાતી એવી સ્વરૂપશુદ્ધ ક્રિયા પણ માર્ગનું બીજ બને છે; કેમ કે મોક્ષના આશયવાળા અને અસગ્રહ વગરના એવા સ્થૂલબોધવાળા પણ જીવો, જ્યારે આત્મકલ્યાણ અર્થે દેશિવરિત કે સર્વવરિતની ક્રિયાઓ કરે છે ત્યારે, તે શુભક્રિયાઓમાં અપ્રમાદભાવથી કરવાની ઈચ્છારૂપ દૃઢ આદર હોય તો, તે શુભક્રિયાઓ રત્નત્રયીરૂપ મોક્ષનું કારણ બને છે. આથી જ અપુનર્બંધક જીવોને માર્ગના પ્રવેશ માટે વ્રત આપવાની વાત શ્લોક-૧૭ માં બતાવેલ છે. II૨-૨૬ના
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે સ્વરૂપશુદ્ધ ક્રિયા પણ માર્ગનું બીજ છે. તેથી હવે બીજા પ્રકારની સ્વરૂપશુદ્ધ ક્રિયાથી પણ ક્રમસ૨ જીવ મોક્ષને પામે છે, તે બતાવતાં કહે છે -
गुर्वाज्ञापारतन्त्र्येण द्रव्यदीक्षाग्रहादपि ।
वीर्योल्लासक्रमात्प्राप्ता, बहवः परमं पदम् ।।२७।।