________________
૫૩ *
અધ્યાત્મસ્વરૂપાધિકાર હોવાના કારણે ઉચિત જન્મ કહે છે. I-૨૪ll
દ્વિતીયાત દ્વિતીયથી સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી માથૂક્વવત્ મંડૂકચૂર્ણની જેમ વારિત્ રોપઢનઃ રચાત્ કાંઈક દોષહાનિ થાય. તૃતીયાત્ તુ વળી તૃતીયથી= અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી ગુસ્નીપરન્તયા ૩પત્તી ગુરુ-લાઘવની ચિંતા હોવાના કારણે આત્મત્તિકી (ફરી દોષ ન થાય તે રીતે દોષહાનિ) થાય. ર-૨પા
* અહીં “ ત્તિી ” થી એ કહેવું છે કે નિમિત્ત મળવા છતાં ફરી દોષ ન સંભવે, તેવી દોષની હાનિ થાય. શ્લોકાર્ય :
અજ્ઞાનબાહુલ્ય હોવાને કારણે પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાનથી મોક્ષનાં બાધક એવાં કર્મોનું બાધન નથી. બીજાઓ સદ્ભાવ આશયનો લેશ હોવાને કારણે ઉચિત જન્મ કહે છે. દ્વિતીય સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી મંડૂકચૂર્ણની જેમ કાંઈક દોષહાનિ થાય, વળી તૃતીય અનુબંધશુદ્ધ અનુષ્ઠાનથી ગુરુ-લાઘવની ચિંતા હોવાના કારણે આત્યંતિકી દોષહાનિ થાય. ll૨-૨૪/રપા ભાવાર્થ :
પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાન બતાવ્યું. વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં અજ્ઞાન ઘણું હોવાને કારણે આત્મઘાતરૂપ અનુચિત પ્રવૃત્તિ હોય છે. તેથી તે અનુચિત્ત પ્રવૃત્તિ મોક્ષનું બાધન કરનારાં એવાં કર્મોનો નાશ કરી શકતી નથી. માટે વિષયશુદ્ધ અનુષ્ઠાન મોક્ષપ્રાપ્તિનું કારણ નથી. આ પ્રકારનું કથન તે અનુષ્ઠાનની ક્રિયાને સામે રાખીને કરેલ છે. વિષયશુદ્ધ અનુષ્ઠાનની ક્રિયામાં વર્તતો જીવનો જે મોક્ષનો આશય છે, તેને સામે રાખીને બીજાઓ કહે છે કે, વિષયશુદ્ધ અનુષ્ઠાનમાં મોક્ષની પ્રાપ્તિની ઈચ્છારૂપ જે સાચો ભાવ વર્તે છે તે રૂ૫ અંશને વિચારીએ તો, જન્માન્તરમાં ઉચિત જન્મની પ્રાપ્તિનું કારણ છે. અર્થાત્ મોક્ષને અનુરૂપ એવી સામગ્રીને અપાવે તેવા જન્મનું કારણ પ્રથમ અનુષ્ઠાન છે.
અહીં “સમાવાશયનેશ” થી એ કહેવું નથી કે, તે જીવને મોક્ષની ઈચ્છા અલ્પમાત્રામાં છે, પરંતુ એ કહેવું છે કે તેના આખા અનુષ્ઠાનમાં મોક્ષના આશયરૂપ જે સદ્ભાવ છે તેટલો અંશ જ સારો છે, બાકીનો અંશ સારો નથી. તે બતાવવા માટે લેશ' શબ્દનો પ્રયોગ છે.