________________
૧૨૧
વૈરાગ્યસંભવાધિકાર
I ક્રિતીય પ્રવન્ય
II વૈરાગ્યસંભવધવાર II
અવતરણિકા :
ભવસ્વરૂપના ચિંતનથી જીવમાં વૈરાગ્ય ભાવ જાગે છે. આ વૈરાગ્ય ક્યાં સંભવે અને ક્યાં ન સંભવે તે આ વૈરાગ્યસંભવ અધિકારમાં ગ્રંથકાર બતાવે છે -
भवस्वरूपविज्ञानाद्-द्वेषान्नैर्गुण्यदृष्टिजात् । ...
तदिच्छोच्छेदरूपं द्राग, वैराग्यमुपजायते ।।१।। અન્વયાર્થ
__ भवस्वरूपविज्ञानात् भवन। १३५॥ विशनने ॥२४ो नैर्गुण्यदृष्टिजात् द्वेषात् (ભવની) નિર્ગુણતારૂપ દૃષ્ટિથી જન્મેલ (ભવ પ્રત્યેના) દ્વેષથી ટ્રાન્ તરત તષ્ઠિ વૈરાગ્યમ્ તેનીeભવની, ઈચ્છાના ઉચ્છેદરૂપ વૈરાગ્ય ૩૫ગાયતે ઉત્પન્ન થાય છે. પ-૧ શ્લોકાર્થ :
ભવના સ્વરૂપના વિજ્ઞાનને કારણે ભવની નિર્ગુણતારૂપ દૃષ્ટિથી જન્મેલ ભવ પ્રત્યેના દ્વેષથી, તરત ભવની ઈચ્છાના ઉચ્છેદરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પ-૧ના ભાવાર્થ :
જિનેશ્વર ભગવંતે ભાખેલા વચનના બળથી ભવના વાસ્તવિક સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આખો ભવ નિર્ગુણ ભાસે છે, જેને કારણે પૂર્વમાં સંસારના ભોગ્ય પદાર્થોને જોઈને જે સંસાર ગુણરૂપ ભાસતો હતો, તે જ સંસાર હવે કદર્શનારૂપ ભાસે છે. માટે સંસાર પ્રત્યે દ્વેષ પેદા થવાથી ભવમાં વર્તતી સર્વ પ્રવૃત્તિઓની પૂર્વમાં જે ઈચ્છા હતી, તેના ઉચ્છેદરૂપ તરત વૈરાગ્ય પેદા થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ભવના ઉચ્છેદની ઈચ્છા થયા પછી પણ મહાત્માઓ દેહનું પાલન કરે છે, તે કેમ કરે છે? તેનો આશય એ છે કે ભવના ઉચ્છેદની ઈચ્છા થયા પછી તરત ભવનો નાશ થતો નથી, પરંતુ ભવના ઉચ્છેદ માટે તપ-સંયમની