________________
૧૦૯
ભવસ્વરૂપચિંતાઅધિકાર ગીધડાંઓ ફરતાં દેખાય છે, અર્થાતુ જીવને કોઈને કોઈ આપત્તિ કનડગત પમાડતી જ હોય છે.
આમ, આ ભવ મહામોહરૂપી રાજાની રણભૂમિ જેવો છે, કેમ કે પ્રાયઃ કરીને જીવને જન્મતાંની સાથે જ મોહના પરિણામો હોય છે.
ભવની આવી ભયાનક સ્થિતિ જોઈને જીવ ભવથી ઉદ્વિગ્ન બને છે, તેથી તેનાથી છૂટવાના ઉપાયનું સભ્ય પર્યાલોચન કરવા ઉદ્યમી બને છે. I૪-૧૯ll
63 સંસારી જીવમાં વર્તતા મોહના ઉન્માદનું સ્વરૂપ
हसन्ति क्रीडन्ति क्षणमथ च खिद्यन्ति बहुधा । रुदन्ति क्रन्दन्ति क्षणमपि विवादं विदधते ।। पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा ।
भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ।।२०।। અન્વયાર્થ :
ક્ષત્તિ કડત્તિ સામ્ ક્ષણભર હસે છે, ક્રીડા કરે છે. ૩થ ૧૨ અને વળી વહુધા રિવ્રત્તિ વધુ ભાગે ખેદ કરે છે, ત્તિ ત્તિ સમજ ક્ષણમાં પણ રડે છે, કંદન કરે છે. વિવારં વિઘતે (અને) વિવાદ=કજિયો કરે છે. પાયને (ઊભા થઈને) પલાયન થાય છે. મોટું રાતિ (કોઈ રમ્ય પદાર્થને પામીને) આનંદને ધારણ કરે છે. વિવશ: ઘરનૃત્યન્તિ (વિષયોને) વિવશ જીવો (વિષયોને પ્રાપ્ત કરીને) નાચે છે. મને ભવમાં મા કોઈપણ મોટોભાવં પરિતા: મોહના ઉન્માદને પામેલા તનુમાન: શરીરધારી જીવો છે. ll૪-૨૦ના શ્લોકાર્ચ -
ક્ષણભર હસે છે, ક્રીડા કરે છે અને વળી વધુ ભાગે ખેદ કરે છે. ક્ષણમાં પણ રડે છે, કંદન કરે છે અને વિવાદ કરે છે. ઊભા થઈને પલાયન થાય છે, કોઈ રમ્ય પદાર્થને પામીને આનંદને ધારણ કરે છે અને વિષયોને વિવશ એવા જીવો વિષયોને પ્રાપ્ત કરીને નાચે છે. ભવમાં કોઈપણ મોહના ઉન્માદને પામેલા શરીરધારી જીવો છે.
II૪-૨મા