________________
૧૦૭
ભવસ્વરૂપચિંતાઅધિકાર સંસારી જીવો પણ અનાદિકાળથી ચાર ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખો વેઠીને મજબૂત ચિત્તવાળા થઈ ગયા હોય છે; તેથી જેમ મજબૂત થયેલો ઘડો પાણી આદિ પદાર્થોને ધારણ કરવા સમર્થ બને છે, તેમ સંસારી જીવો વર્તમાન ભવમાં અંતરંગ સંક્લેશરૂપ અનેક દુઃખોને સહન કરવામાં મજબૂત થયેલા છે. તે આ રીતે
સંસારી જીવ જ્યારે સંસારમાં કોઈ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા કરે છે ત્યારે તે ન મળે ત્યાં સુધી તે અરતિવાળો બને છે, અને તેથી અંત:તાપના દુઃખને સહન કરે છે. પછી જ્યારે પુણ્યના ઉદયથી તે વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે તે અંતઃતાપ કાંઈક હળવો બને છે, પરંતુ ત્યારે પ્રાપ્ત થયેલી વસ્તુના અવિચ્છેદની ઈચ્છારૂપ અંત:તાપ થાય છે, ત્યારે તે પણ તે સહન કરે છે. અને છેવટે પુણ્ય સમાપ્ત થતાં વસ્તુનો ઉચ્છેદ થાય છે ત્યારે નવા પ્રકારનો અંત તાપ પેદા થવાથી દુઃખને પામે છે.
આમ છતાં, તે દુઃખોની ઉપેક્ષા કરીને ભૌતિક સુખો માટે જ પ્રયત્ન કર્યા કરે છે તેનું કારણ તેને તત્ત્વનું અજ્ઞાન છે. તેથી જ સંસારમાં દૂર ન કરી શકાય તેવાં દુઃખોને સહન કરવા તે કઠણ ચિત્તવાળો બની ગયો છે, પરંતુ તત્ત્વનું સમ્યગુ પર્યાલોચન કરવાથી મૃદુ ચિત્તવાળા બનેલા મહાત્મા, આવાં અંતઃતાપરૂપ દુઃખોને સહન નહીં કરવાની વૃત્તિવાળા હોય છે. તેથી તેઓ બાહ્ય પદાર્થોની ઈચ્છાઓને દૂર કરીને તે દુઃખોથી દૂર જ રહેવા યત્ન કરે છે. કેમ કે તેઓ જાણે છે કે તત્ત્વદૃષ્ટિએ સંસારમાં કયાંય સુખ નથી. II૪-૧૮II
ઉપમા ઃ ૧૧ - ભવ=મોહરાજાની રણભૂમિ
.. मृगाक्षीदृग्बाणैरिह हि निहतं धर्मकटकं,
विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः ।। भ्रमन्त्यूचं क्रूरा व्यसनशतगृध्राश्च तदियं,
महामोहक्षोणीरमणरणभूमिः खलु भवः ।।१९।। અન્વયાર્થ :
રૂદ અહીં=સંસારમાં મૃગાક્ષસ્થા: મૃગાક્ષીનીકરણ જેવી આંખોવાળી સ્ત્રીની, દૃષ્ટિરૂપી બાણો વડે ઘર્મવં ધર્મરૂપી સૈન્ય નિહર્ત હણાયેલું છે. ફુદ 9 અને અહીં= સંસારમાં દેશ: હૃદયરૂપી દેશ વહુનૈઃ રાધે ઘણા રાગરૂપી લોહી