________________
અધ્યાત્મસાર
૧૧૨
વીતરાગભાવને વધારતા એવા સાધુપણાને મોક્ષના ઉપાયભૂત સ્વીકારતા જીવોને, તેવા ઉત્તમ ચિત્તની તીવ્ર ઈચ્છા હોય છે; પરંતુ પોતાનામાં તે મુજબનું ઉત્તમ સત્ત્વ આવિર્ભાવ નહીં થયેલું હોવાના કારણે એ ભૂમિકામાં પહોંચી શકતા નથી; તેથી જ એ ભૂમિકાની વિરુદ્ધ એવી સાંસારિક ભોગાદિની ક્રિયાઓ તેમને લજ્જારૂપ ભાસે છે. આમ છતાં, ઉત્તમ કોટિના સંયમમાં પ્રવર્તી શકે તેવું ચિત્ત જ્યાં સુધી આવિર્ભાવ ન થયું હોય ત્યાં સુધી, તે ચિત્તને પેદા કરવાના યત્નરૂપે સંસારમાં રહીને ભગવદ્ભક્તિ આદિ કરતા હોય છે, અને ત્યારે પ્રમોદને અનુભવે છે. પરંતુ શેષકાળમાં જ્યારે કર્મને આધીન રહીને ભોગાદિની પ્રવૃત્તિ કરે છે તેનાથી તેમને લજ્જા આવે છે, અને તેને કારણે તેમનું હૈયું બળે છે, તેથી તે ક્રીડા કરતા કરતા પણ ધીરે ધીરે તે ક્રીડા નહીં કરવાના પરિણામને જ વધુ ને વધુ પુષ્ટ કરે છે. તેથી આવું પુષ્ટ થયેલું તેમનું ચિત્ત જ્યારે સત્ત્વના પ્રકર્ષવાળું બને છે ત્યારે, સંસારને તૃણની જેમ છોડવા માટે અને મહાસત્ત્વથી સંયમમાં યત્ન કરવા માટે તેઓ સમર્થ બને છે. II૪-૨૧/૦
છ યોગીઓને દેખાતું ભવનું મિથ્યા સ્વરૂપ
प्रभाते सञ्जाते भवति वितथा स्वापकलना । द्विचन्द्रज्ञानं वा तिमिरविरहे निर्मलदृशाम् ।। तथा मिथ्यारूप: स्फुरति विदिते तत्त्वविषये । भवोऽयं साधूनामुपरतविकल्पस्थिरधियाम् ।। २२ ।। અન્વયાર્થ :
પ્રમાતે સખ્ખાતે પ્રભાત થયે છતે સ્વાવલના ઊંઘમાં થયેલ અનુભવ=ઊંઘમાં આવેલ સ્વપ્ન વિતથા મતિ મિથ્યા થાય છે. તિમિરવિદે વા અથવા તિમિ૨૨ોગનો વિરહ થયે છતે નિર્માતŞશામ્ નિર્મળ દૃષ્ટિવાળાઓને દ્વિપત્ત્રજ્ઞાનં બે ચન્દ્રનું જ્ઞાન (મિથ્યા થાય છે.) તથા તે રીતે વિવિતે તત્ત્વવિષયે તત્ત્વનો વિષય વિદિત થયે છતે ૩૫રત વિચિરધિયામ્ સાધૂનામ્ વિકલ્પો શાંત થવાથી જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેવા સાધુઓને અયં મવ: આ ભવ મિથ્યાપ: સ્ફુરતિ મિથ્યારૂપ સ્ફુરાયમાન થાય છે. II૪-૨૨