________________
૧૧૪
અધ્યાત્મસાર અન્વયાર્થ :
પ્રિયાવાળવીળાશયનતનુસખ્યધનસુર પ્રિયાની વાણી, વિણાનો નાદ, સુવાની ક્રિયા, (પોતાના શરીરની આળ-પંપાળરૂપ સુખોને કારણે વીર્થ: ઘટત: ૩ મ: અમૃત વડે બનેલો આ સંસાર છે, રૂતિ એ પ્રમાણે પૂર્વ મતિરભૂત પૂર્વે (અમારી) મતિ હતી. પરંતુ) ૩રમાત્ અકસ્માત્ પરિવતિતતત્ત્વોપનિષતામ્ રમાવં જાણેલા તત્ત્વના રહસ્યવાળા અમને રૂાની... હવે અમિન્ આમાં સંસારમાં ન રતિઃ રતિ નથી. ૩પ તુ પરંતુ રાત્મિનિ પોતાના આત્મામાં રતિઃ રતિ છે. I૪-૨૩. શ્લોકાર્ચ -
પ્રિયાની વાણી, વીણાનો નાદ, સુવાની ક્રિયા, પોતાના શરીરની આળપંપાળરૂપ સુખોને કારણે અમૃત વડે બનેલો આ સંસાર છે, એ પ્રમાણે પૂર્વે અમારી મતિ હતી. પરંતુ અકસ્માત જાણેલા તત્ત્વના રહસ્યવાળા અમને હવે સંસારમાં રતિ નથી, પરંતુ પોતાના આત્મામાં રતિ છે. II૪-૨૩ ભાવાર્થ -
પૂર્વમાં જ્યારે તત્ત્વનો બોધ ન હતો ત્યારે પ્રિયાની વાણી, વીણાના સૂર, શયનાદિ ક્રિયા તથા નિજ શરીરની સારસંભાળનાં સુખોને કારણે આ ભવ અમૃત જેવો મધુરો છે એવી બુદ્ધિ હતી. કારણ કે ભવમાં વર્તતી અનેક ઉપાધિઓ વચ્ચે પ્રિયાની વાણી આદિ અલ્લાદના કારણભૂત ઉત્તમ ભાવો છે એવી જ અમારી માન્યતા હતી. પરંતુ ક્યારેક કોઈક નિમિત્તના યોગે જ્યારે અકસ્માતથી અમને તત્ત્વનો બોધ થયો છે ત્યારે, પ્રિયાની વાણી, વીણાદિ ભાવો તુચ્છ અને નિઃસાર લાગ્યા છે. માટે તે ભાવોમાં હવે રતિ નથી અને સ્વાત્મામાં રતિ થઈ છે, એમ ગ્રંથકાર કહે છે. II૪-૨૩.
ભવસુખની વિષમતા અને આત્મિક સુખની ઉત્તમત્તાનું સ્વરૂપ
दधानाः काठिन्यं निरवधिकमाविद्यकभवप्रपञ्चाः पाञ्चालीकुचकलशवनातिरतिदाः । गलत्यज्ञानाभ्रे प्रसृमररुचावात्मनि विधौ , . . चिदानन्दस्यन्दः सहज इति तेभ्योऽस्तु विरतिः ।।२४।।