________________
અધ્યાત્મસાર
૧૦૮ વડે વિનિતી ખરડાયેલો છે. ઝળું =અને ઉપર (આકાશમાં) ૨ વ્યસનશતyડ્યા? ક્રૂર એવા આપત્તિરૂપી સેંકડો ગીધડાંઓ શ્રમન્તિ ભમે છે. તત્તે કારણથી ભવ: સ્ત્રનું સંસાર ખરેખર ફર્થ મહામોહતોળીરમારામૂમિ: દિ મહામોહરૂપી પૃથ્વી પતિની આ રણભૂમિ જ છે. I૪-૧લા
* “એ” એ મૂમિ' નું વિશેષણ છે. શ્લોકાર્ચ -
સંસારમાં મૃગાક્ષીની દષ્ટિરૂપી બાણો વડે ધર્મરૂપી સૈન્ય હણાયેલું છે અને સંસારમાં હૃદયરૂપી દેશ ઘણા રાગરૂપી લોહી વડે ખરડાયેલો છે અને ઉપર આકાશમાં દૂર એવાં આપત્તિરૂપી સેંકડો ગીધડાંઓ ભમે છે. તે કારણથી સંસાર ખરેખર મહામોહરૂપી પૃથ્વી પતિની આ રણભૂમિ જ છે. I૪-૧૯I ભાવાર્થ :
રણભૂમિમાં થતા યુદ્ધને અંતે અબલિષ્ઠ હોય તે હણાય છે. ત્યાર પછી આખી ભૂમિ રુધિરથી ખરડાયેલી દેખાય છે. ઠેર ઠેર પડેલાં મડદાંઓને ખાવા આતુર બનેલાં ગીધડાંઓ આકાશમાં ભમતાં દેખાય છે.
આ ભવરૂપી રણભૂમિમાં બલિષ્ઠ એવા મહામોહરૂપી રાજા સ્ત્રીની દૃષ્ટિરૂપ બાણો વડે શત્રુ એવા ધર્મસૈન્યનો નાશ કરે છે. જેને કારણે હૃદય રાગરૂપી રુધિરથી ખરડાયેલું બને છે અને સેંકડો આપત્તિરૂપ ગીધડાંઓ ભમતાં દેખાય છે.
- તત્ત્વના બોધ અને અવલોકનને કારણે જીવ જ્યારે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિરૂપ ધર્મ આદરે છે, ત્યારે શ્રતધર્મ અને ચારિત્રધર્મરૂપ ક્રિયામાં ઉદાત્ત બનેલા જીવનો ધર્મ પણ સ્ત્રીની દષ્ટિરૂપ બાણથી હણાય છે. સ્ત્રીની દષ્ટિમાત્ર પડવાથી મોહને કારણે જીવના ચારિત્રરૂપી ગુણોનો નાશ થાય છે, અને એ રીતે જીવના આત્મધર્મરૂપી ગુણોનો નાશ થાય છે.
રણભૂમિમાં શત્રુસૈન્યનો નાશ થવાથી જેમ ચારે બાજુ લોહીથી ખરડાયેલી ભૂમિ નજરે પડે છે, તેમ અહીં ધર્મરૂપી સૈન્યનો નાશ થવાથી જીવનું હૃદય રાગરૂપી લોહીથી ખરડાય છે.
વળી, રણભૂમિમાં ઠેર ઠેર મડદાં પડેલાં હોય છે, જેને ખાવા આતુર એવાં ગીધડાંઓ ઉપર આકાશમાં ચક્કર મારતાં હોય છે, તેમ અહીં ધર્મનો નાશ થવાથી જીવની આસપાસ શારીરિક, કૌટુંબિક, આર્થિક વગેરે સેંકડો આપત્તિઓરૂપ