________________
ઉપ
દંભત્યાગાધિકાર
स्वदोषनिह्नवो लोक-पूजा स्याद् गौरवं तथा ।
इयतैव कदर्थ्यन्ते, दम्भेन बत बालिशा: ।।७।। અન્વયાર્થ -
મેન દંભ વડે સ્વનિર્નવ જગતમાં પોતાના દોષો છૂપાવવા, નોપૂના તથા લોકની પૂજા અને ગૌરવં ગૌરવ ર થાય. વત ખરેખર ખેદની વાત છે કે તૈવ આટલા જ તુચ્છ ફળ દ્વારા વાર્નિશા: બાલિશ જીવો=અવિચારક જીવો થ્યને ચારિત્રની કષ્ટરૂપ ક્રિયાથી કદર્થના પામે છે. Il૩-છા
* શ્લોકમાં પ્રયોજેલ પર ખેદ દર્શાવવા માટે છે. શ્લોકાર્ચ -
દંભ વડે જગતમાં પોતાના દોષો છુપાવવા, વળી લોકની પૂજા અને ગૌરવ થાય, ખરેખર ખેદની વાત છે કે આટલા જ તુચ્છફળ દ્વારા અવિચારક જીવો ચારિત્રની કેષ્ટરૂપ ક્રિયાથી કદર્થના પામે છે. ll૩-ળા ભાવાર્થ :
જેઓ પ્રકૃતિથી બાલિશ=અવિચારક, છે તેઓ સંયમ ગ્રહણ કરીને પોતાના પ્રમાદને દંભથી છુપાવે છે. તેનાથી પોતાના દોષો પ્રગટ ન થાય, અને પોતે જેવા સંયમી નથી તેવા સંયમી દેખાવાથી લોકમાં પૂજા થાય છે, અને લોકોનાં માનસન્માનરૂપ ગૌરવની પ્રાપ્તિ થાય છે. આટલા જ તુચ્છ ફળ દ્વારા મહાકલ્યાણના કારણરૂપ એવા સંયમને તેઓ વ્યર્થ કરે છે, અને કેવલ સંયમના કષ્ટની કદર્થના પ્રાપ્ત કરે છે. ll૩-૭ના અવતરણિકા :
દંભ વડે કરીને વ્રતનું પાલન પણ અવ્રત માટે જ થાય છે, તે વાત દૃષ્ટાંતથી ભાવન કરીને ભત્યાગનો ઉપદેશ આપે છે -
असतीनां यथा शील-मशीलस्यैव वृद्धये । दम्भेनाव्रतवृद्ध्यर्थं, व्रतं वेषभृतां तथा ।।८।।