________________
અંધ્યાત્મસાર પણ ક્યારેક અલ્પ પણ દંભ થાય તો તે ઉચિત નથી.
જેમ સમુદ્ર તરતાં નાવમાં કાણું પડે તો શીઘ્ર તે કાણાને પૂરી દેવામાં ન આવે તો ડૂબવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તેમ અધ્યાત્મમાં રત એવા મહાત્માઓને પણ ક્યારેક પ્રમાદથી નાનો દંભ થઈ જાય, પરંતુ તેની શુદ્ધિ શીધ્ર કરવામાં ન આવે તો ધીરે ધીરે તે પ્રમાદની વૃદ્ધિ થઈને અધ્યાત્મરત એવા પણ સાધુને દુરંત સંસારમાં ડૂબવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, માટે દંભના પરિવારમાં જ યત્ન કરવો જોઈએ. Il૩-૨૧II. અવતરણિકા :
ઉપસંહારમાં દૃષ્ટાંત દ્વારા દંભના ત્યાગનો ઉપદેશ આપે છે -
दम्भलेशोऽपि मल्ल्यादेः, स्त्रीत्वानर्थनिबन्धनम् ।
अतस्तत्परिहाराय, यतितव्यं महात्मना ।।२२।। અન્વયાર્થ :
મ7ીનેશ પ : મલ્લિનાથ આદિનો લેશ પણ દંભ સ્ત્રીત્વાનર્થનિવન્ધનમ્ સ્ત્રીપણાના અનર્થનું કારણ બન્યો) ૩યતઃ આથી કરીને તત્વરિદારય તેના દંભના પરિહાર માટે મહત્મિના ચંતિતડ્યું મહાત્મા વડે યત્ન કરાવો જોઈએ. ll૩-૨શા શ્લોકાર્ચ -
મલ્લિનાથ આદિનો લેશ પણ દંભ સ્ત્રીપણાના અનર્થનું કારણ બન્યો. આથી કરીને દંભના પરિહાર માટે મહાત્મા વડે યત્ન કરવો જોઈએ. l૩-૨રા ભાવાર્થ :
પૂર્વભવમાં કરેલા દંભના કારણે તીર્થકરના આત્મા એવા મલ્લિકુમારી અને મહાનયોગી એવાં બ્રાહ્મી-સુંદરી પણ સ્ત્રીપણું પામ્યાં. આમ, આરાધના ઘણી હોવા છતાં ઊંચા જીવો પણ દંભથી પડે છે માટે દંભ મહાઅનર્થકારી છે. વિશેષ દંભથી દુર્ગતિની પરંપરા પણ થઈ શકે છે. તેથી આત્મિકગુણના વિકાસ માટે અને દંભના ત્યાગ માટે મહાત્માએ યથાશક્તિ પુરુષાર્થ કરવો જોઈએ. ll૩-૨રા
।। इत्यध्यात्मसारे दम्भत्यागाधिकारः ||३||