________________
અધ્યાત્મસાર ધૂમાડા નીકળતા હોય, તો ત્યાં જનાર પુરુષને દિશાનો સંમોહ થવાથી પોતાને ક્યાં જવું છે તે નક્કી કરી શકતો નથી; તેમ રતિના પરિણામવાળી સ્ત્રી જ્યારે કટાક્ષો ફેંકે છે, ત્યારે તેના હાવભાવોથી જે પુરુષો મૂંઝાઈ જાય છે, તેઓ સન્માર્ગને જોઈ શકતા નથી.
વળી આ સંસારમાં જીવનું શરીર અગ્નિમાં બળતા અંગારા જેવું છે, અને વિષયો પણ અંગારા જેવા છે. જેમ અંગારામાં સુખ માટે કોઈ હાથ નાંખે તો સુખ કેવી રીતે મળે ? તેમ આ શરીર જીવને અનેક જાતની વ્યાધિ-કદર્થનાથી બાળી રહ્યું છે, તેથી તે અંગારા જેવું છે; અને પાંચેય ઈન્દ્રિયોના વિષયો જીવને સતત વિકારો પેદા કરાવીને બાળી રહ્યા છે. તેથી આ ભવરૂપી શરીરમાં સુખ સંભવે નહિ; માટે સુખના અર્થીએ સંસારનું સ્વરૂપ વિચારીને જ્યાં શરીર નથી, જ્યાં વિકારો નથી અને
જ્યાં સ્ત્રીઓના કટાક્ષોથી મોહ પામવાનું સ્થાન નથી તેવા મોક્ષને મેળવવા જ યત્ન કરવો જોઈએ. II૪-૩
ઉપમા ઃ ૩ --સંસાર = કસાઈખાનું.
गले दत्वा पाशं तनयवनितास्नेहघटितं । निपीड्यन्ते यत्र प्रकृतिकृपणा: प्राणिपशवः ।। नितान्तं दुःखार्ता विषमविषयैर्घातकभटै
र्भवः सूनास्थानं तदहह महासाध्वसकरम् ।।४।। અન્વયાર્થ:
યત્ર જ્યાં=સંસારમાં વિષમવિષચૈઃ ઘાતમ: વિષમ એવા વિષયોરૂપી ઘાત કરનારા સુભટો વડે તનયનિતાનેરિત પશે પુત્ર-સ્ત્રીના સ્નેહથી ઘટિત બનાવેલા, એવા પાશને અને રત્ના ગળામાં નાંખીને પ્રકૃતિવૃ૫ના નિતાન્ત ટુર્ના પ્રાપશવ પ્રકૃતિથી કૃપણ અને અત્યન્ત દુઃખારૂં એવા પ્રાણીરૂપી જીવરૂપ, પશુઓને નિપીટીને પીડા કરાય છે. ૩દદ ! અરેરે ! તત્તે કારણથી ભવ: મહીસTદ્વાર સૂનાથાન સંસાર મહાભયંકર કસાઈખાનારૂપ છે..૪-૪