________________
૧૦૧
ભવસ્વરૂપચિંતાઅધિકાર ભાવાર્થ
સંસારમાં સામાન્ય રીતે જીવના પિતા, માતા કે ભાઈના સંબંધો, તેઓ પોતાને જ્યાં સુધી ઉપયોગી છે ત્યાં સુધી જ માન્ય હોય છે. પોતાનો સ્વાર્થ સધાતો હોય ત્યાં સુધી જ જીવ પિતા સાથે પિતા તરીકેનો વ્યવહાર કરે છે. જ્યારે પોતે સ્વાધીન બની જાય છે, ત્યારે પિતા આદિ સાથે પહેલા જેવી લાગણીની વૃત્તિથી નહીં, પરંતુ ફક્ત વ્યવહારથી જ જીવ સંબંધો નિભાવે છે. આમ થવાનું મૂળ કારણ જીવની સ્વાર્થવૃત્તિ જ છે.
વળી, ધનવાન માણસ પોતે જાણતો હોય કે સત્પાત્ર માટે ધનના વ્યયથી લાભ જ થાય છે, છતાં તે ધનનું દાન કરતો નથી; અને ક્વચિત્ કરે તો પણ ઘણું ઓછું કરે છે. અહીં પણ તેનામાં પડેલી સ્વાર્થવૃત્તિ જ જવાબદાર છે. વળી, જીવ પોતાના સ્વાર્થને સાધવા માટે હંમેશાં મોટા આશયવાળો બને છે. આવા સ્વાર્થમય સંસારમાં ભવસુખની ખ્યાતિ કરવામાં કોઈ વિચારક માણસ રસિક બનતો જ નથી, પરંતુ અવિચારક માણસ જ ભવના સુખને ઘણું ઉત્તમ કહે છે. I૪-૧૪
पणैः प्राणैर्गृह्णात्यहह महति स्वार्थ इह यान् । त्यजत्युच्चैलॊकस्तृणवदघृणस्तानपरथा ।। - --- विषं स्वान्ते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृद्
भवादित्युद्वेगो यदि न गदितैः किं तदधिकैः? ।।१५।। અન્વયાર્થ -
૩ : અરેરે ! ફૂટ અહીં સંસારમાં મહતિ સ્વાર્થે મોટો=વિશેષ, સ્વાર્થ હોતે છતે યાન જેઓને પ્રાધા પછી પ્રાણરૂપી શરતો વડે ગૃતિ ગ્રહણ કરે છે, તાન્ તેઓને ૩પરથા અન્યથા સ્વાર્થ નહીં હોતે છતે ૩પૃપ નો નિર્દય એવો લોક તૃણવત્ તણખલાની જેમ ૩: અત્યંત ત્યગતિ ત્યજે છે. સ્વાત્તે વિષે વયત્રે ૨ ૩મૃતમ્ અંતરમાં વિષ અને મુખમાં અમૃત, કૃતિ એ પ્રમાણે વિશ્વારિત વિશ્વાસના ઘાતને કરનારો (લોક) છે. તિ એથી કરીને ય ભવાન્ ૩ ન ત જો (જીવન) સંસારથી ઉદ્વેગ ન થાય તો, ધઃ તૈિ: વિં? અધિક કહેવા વડે શું? Il૪-૧પ