________________
* ૯૬
અધ્યાત્મસાર અન્વયાર્થ
क्वचित् प्राज्यं राज्यं ध्यारे विशण २।०५ क्वचन धनलेशोऽप्यसुलभः ક્યારેક લેશ પણ ધન અસુલભ જ્ઞાતિશ્યાતિઃ ક્યારેક જાતિની વૃદ્ધિsઉચ્ચ જાતિ વિધિ ૨ નીરત્વાશ અને વળી ક્યારેક નીચત્વનો કુયશ
વસ્તીવાયશ્રીરતિશયવતી ક્યારેક અતિશયવાળી લાવણ્યરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ વાવ ન વપુ ક્યારેક શરીર પણ નહીં તુચ્છ શરીરને કારણે શરીર ન મળવા તુલ્ય હોવું, મને તુ ખરેખર ભવમાં રૂદ્ર વૈષયે રીપે આવું વિષમ સ્વરૂપ વચ્ચે રતિરમ્ - કોને રતિ કરનારું થાય ? II૪-૧૫ll શ્લોકાર્ચ -
ક્યારેક વિશાળ રાજ્ય તો ક્યારેક લેશ પણ ધન અસુલભ, ક્યારેક ઉચ્ચ જાતિ અને વળી ક્યારેક નીચત્વનો કુયશ, ક્યારેક અતિશયવાળી લાવણ્યરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ, તો ક્યારેક કુરૂપની પ્રાપ્તિ, ખરેખર ભવમાં આવું વિષમ સ્વરૂપ કોને રતિ કરનારું થાય? II૪-૧૧ ભાવાર્થ :
સંસારમાં એક જ જીવ ક્યારેક વિશાળ રાજ્યને પ્રાપ્ત કરે છે તો ક્યારેક લેશ પણ ધનને મેળવી શકતો નથી. વળી ક્યારેક જીવ ઉચ્ચ કુળમાં જન્મ લે છે તો ક્યારેક નીચ કુળ મળવાને કારણે કુયશને પામે છે. વળી, ક્યારેક શ્રેષ્ઠ એવી રૂપસંપત્તિને મેળવે છે, તો ક્યારેક એવું કદરૂપું કે ખોડખાંપણવાળું શરીર પામે છે કે જાણે શરીર જ ન મળ્યા તુલ્ય સ્થિતિ ગણી શકાય.
સંસારની આવી વિષમ પરિસ્થિતિઓને પામીને વિચારક જીવ જ ચિત્તમાં સાચો વિચાર લાવી શકે છે, કે વર્તમાનમાં પ્રાપ્ત થયેલી આ સ્થિતિ સદા સ્થાયી રહેતી નથી, પરંતુ પુણ્ય-પાપની વિપાક અવસ્થા સુધી જ આ સ્થિતિ ટકે છે. આ કારણથી જ વિચારક જીવને વિષમ સ્વરૂપવાળા આ ભવમાં ક્યારેય રતિ થતી નથી. II૪-૧૧