________________
અધ્યાત્મસાર
ઉo
દંભ, ક્રિયારૂપી ચંદ્ર માટે રાહુ સમાન છે. જેમ રાહુ, ચંદ્રને ગ્રસી નાખે છે, તેમ તપ-સંયમમાં યત્નરૂપ ક્રિયાઓ દંભના પરિણામથી અફલ બને છે. અહીં ક્રિયારૂપી ચંદ્ર કહ્યું તેનાથી એ કહેવું છે કે, ચંદ્ર જેમ શીતળતા આપે છે, તેમ ભગવાનના માર્ગની ક્રિયાઓ જીવને ઉપશમભાવ તરફ લઈ જઈ શીતલતાનો અનુભવ કરાવે છે. પરંતુ શાંત-પ્રશાંતતા તરફ લઈ જવા માટે સમર્થ એવી અધ્યાત્મની ક્રિયા દંભયુક્ત હોય તો જીવને માટે પણ અનર્થકારી બને છે. વળી તપ-સંયમમાં યત્ન હોવા છતાં પણ જીવને દુર્ગતિમાં રખડાવનાર દંભ છે, માટે જ દંભ એ દુર્ભાગ્યનું કારણ છે; અને સદાનુષ્ઠાનમાં યત્નથી પ્રગટ થતા અધ્યાત્મસુખના પ્રાદુર્ભાવમાં દંભ અર્ગલારૂપ છે, અર્થાત્ અટકાવનાર છે. l૩-૧ાા
दम्भो ज्ञानाद्रिदम्भोलिदम्भः कामानले हविः ।
व्यसनानां सुहृद्दम्भो, दम्भश्चौरो व्रतश्रियः ।।२।। અન્વયાર્થ:
શ્નો જ્ઞાનાદિમોતિઃ દંભ જ્ઞાનરૂપી પર્વત માટે જ છે, રક્ત વામાન દવિ દંભ કામરૂપી અગ્નિ માટે ઘી છે, રમ: વ્યસનનાં સુહ દંભ આપત્તિઓનો મિત્ર છે, (અને) મૈ ગૌર વ્રય: દંભ વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે. l૩-રા શ્લોકાર્ચ -
દંભ જ્ઞાનરૂપી પર્વત માટે વજ છે, દંભ કામરૂપી અગ્નિ માટે ઘી છે, દંભ આપત્તિઓનો મિત્ર છે અને દંભ વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે. ૩-રા. ભાવાર્થ -
સદ્અસહ્ના વિવેકસ્વરૂપ જ્ઞાનરૂપી પર્વત પર ચઢીને જીવ મોહરાજાને પરાજિત કરવા માટે સમર્થ બને છે. પરંતુ જ્ઞાનમય વિવેકરૂપી પર્વત માટે દંભ, વજ છે. જેમ વજ પર્વતના ચૂરેચૂરા કરી દે છે તેમ દંભ જ્ઞાનમય વિવેકરૂપી પર્વતનો નાશ કરે છે.
દંભ કામરૂપી અગ્નિમાં ઘી તુલ્ય છે, કારણ કે પાંચે ઈન્દ્રિયોના વિષયોના વિકારને વધુ પ્રજ્જવલિત કરનાર દંભ છે. જેમ કે કોઈ સાધુને સંયમ ગ્રહણ કર્યા પછી ખાવાની લાલસા થાય ત્યારે, લોકમાં પોતાને સંયમી બતાવવા માટે પોતાના શરીરાદિનાં કારણો આગળ કરીને હું અપવાદથી શાસ્ત્રવિહિત આહારાદિ ગ્રહણ કરું છું, એવો દંભ કરે છે, જેથી પરિણામે તેની આહારાદિ લાલસાઓ પુષ્ટ બને છે.