________________
પ૯
દંભત્યાગાધિકાર
| મત્યવિધવાર ||
પૂર્વ અધિકાર સાથે સંબંધ :
બીજા અધિકારના છેલ્લા શ્લોકમાં કહ્યું કે નિર્દભ આચારવાળાને અધ્યાત્મ પ્રવિદ્ધમાન થાય છે. તેથી હવે દંભના ત્યાગનો અધિકાર કહે છે – અવતરણિકા :
દંભની અનર્થકારિતા બતાવે છે -
दम्भो मुक्तिलतावह्नि-र्दम्भो राहुः क्रियाविधौ ।
दौर्भाग्यकारणं दम्भो, दम्भोऽध्यात्मसुखार्गला ।।१।। અન્વયાર્થ :
શ્ન: મુનિતાત્રિઃ દંભ મુક્તિરૂપી લતા માટે વહ્નિ છે. સુમો રાહુ વિઘો દંભ ક્રિયારૂપી ચંદ્રમાં રાહુ છે. મધ્યકાર મો દુર્ભાગ્યનું કારણ દંભ છે. શ્નો ધ્યાત્મિસુદ્ધાતા (અને) દંભ અધ્યાત્મસુખ માટે અર્ગલારૂપ છે=અધ્યાત્મ સુખને પ્રગટ કરવામાં અટકાવનાર છે. Il૩-૧ાા .. શ્લોકાર્ચ - - દંભ મુક્તિરૂપી લતા માટે વહ્નિ છે, દંભ ક્રિયારૂપી ચંદ્રમાં રાહુ છે, દુર્ભાગ્યનું કારણ દંભ છે અને દંભ અધ્યાત્મસુખને પ્રગટ કરવામાં અટકાવનાર છે. l૩-૧ ભાવાર્થ :
જીવ મોક્ષ મેળવવા યત્ન કરતો હોય છે તો પણ પોતે ખોટું કરીને તે ખોટાને સાચા તરીકે સ્થાપન કરવા જે યત્ન કરે છે, તે “દંભ' છે. જ્યારે જીવ દંભરૂપ કષાયને પરવશ થાય છે ત્યારે, તે જીવ પોતાની અસંયમની કે પ્રમાદની પ્રવૃત્તિને ઢાંકવા પ્રયત્ન કરે છે. દંભરૂપ આ કાષાયિક પરિણામ જીવની મુક્તિરૂપી ફળવાળી સંયમરૂપી લતા માટે અગ્નિ સમાન છે. અર્થાત્ મોક્ષ માટે જીવ જે તપસંયમમાં યત્ન કરે છે તે મુક્તિનું કારણ બની શકતું નથી.