________________
અધ્યાત્મસાર
પર અજ્ઞાની છે, અને કલ્યાણનો અર્થી હોવાને કારણે અસદુગ્રહ વગરનો છે. છતાં સૂક્ષ્મબોધ નહિ હોવાથી લોકદષ્ટિથી જે યમ-નિયમાદિ પાળે છે, તે બીજા પ્રકારનું સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. વળી જૈનદર્શનની અંદર રહેલો પણ સ્કૂલબોધવાળો અપુનબંધક જીવ, દેશવિરતિ કે સર્વવિરતિ પાળતો હોય તો તેનું અનુષ્ઠાન બીજા પ્રકારનું સ્વરૂપશુદ્ધ છે, કારણ કે બોધ પૂલ છે. તેને સૂક્ષ્મબોધ નથી તેથી લોકોત્તર દૃષ્ટિ હજુ તેને પ્રાપ્ત થઈ નથી. આમ છતાં, કલ્યાણના અર્થે જ જે યમાદિરૂપ દેશવિરતિ કે સર્વવિરતિ પાળે છે તે અનુષ્ઠાન “સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનકહેવાય.
અપ્રત્યાખ્યાન કષાય અને પ્રત્યાખ્યાન કષાય જેના શાંત થયેલા છે તેવો જીવ, લોકોત્તર તત્ત્વના સંવેદનને અનુસરતી દેશવિરતિ કે સર્વવિરતિનું પાલન કરે, તો તેનું અનુષ્ઠાન “અનુબંધશુદ્ધ અનુષ્ઠાન કહેવાય.
આ ત્રીજા પ્રકારના અનુષ્ઠાનવાળા જીવો સૂક્ષ્મબોધવાળા હોય છે. તેથી ગુરુ-લાઘવનો વિચાર કરીને પોતાની ભૂમિકાને ઉચિત દેશવિરતિ કે સર્વવિરતિનું પાલન કરે છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને કેવળજ્ઞાનનું કારણ બને છે. તેથી તેઓનું અનુષ્ઠાન અનુબંધશુદ્ધ છે. અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન ગીતાર્થ હોય છે અથવા તો ગીતાર્થને પરતંત્ર માલતુષમુનિ જેવા અતિ માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવોને હોય છે. ll૨-૧૩માં અવતરણિકા :
વિષયશુદ્ધાદિ ત્રણ અનુષ્ઠાન બતાવીને હવે તેના ફળને બતાવે છે -
आद्यान्नाज्ञानबाहुल्या-न्मोक्षबाधकबाधनं । सद्भावाशयलेशेनो-चितं जन्म परे जगुः ।।२४।। द्वितीयाद्दोषहानिः स्या-त्काचिन्मण्डूकचूर्णवत् ।
आत्यन्तिकी तृतीयात्तु, गुरुलाघवचिन्तया ।।२५।। અન્વયાર્થ - -
જ્ઞાનવાદુન્યાહૂ અજ્ઞાનબાહુલ્ય હોવાને કારણે સ્થિતિ પ્રથમથી= વિષયશુદ્ધ અનુષ્ઠાનથી મોક્ષવાઘધને ન મોક્ષનાં બાધક (એવાં કર્મો)નું બાધન નથી, પરે બીજાઓ સમાવાશયશેને ચિતંગ” નર સદ્ભાવાશયનો લેશ હોવાના કારણે