________________
અધ્યાત્મસાર
અન્વયાર્થ :
૫૬
ગુર્વજ્ઞાપારતવ્યેળ ગુર્વાશાના પારતંત્ર્ય વડે દ્રવ્યરીક્ષપ્રજ્ઞાપિ દ્રવ્યદીક્ષાના ગ્રહણથી પણ વીયોન્નાસમંત્ વીર્યોલ્લાસના ક્રમથી વહવ: પરમં પમ્ પ્રાપ્તા: ઘણા (જીવો) ૫૨મપદને પામ્યા. II૨–૨૭॥
નોંધઃ
=
“દ્રવ્યરીક્ષાપ્રહારપિ” માં ‘પિ’થી એ કહેવું છે કે ભાવથી દીક્ષાના ગ્રહણથી મોક્ષે જનારા જીવ તો ઘણા છે જ, પરંતુ દ્રવ્યથી દીક્ષાના ગ્રહણ વડે પણ અનુક્રમે ભાવદીક્ષા પાળીને પરમપદને પામનારા જીવો પણ ઘણા છે.
શ્લોકાર્થ :
ગુર્વાશાના પારતંત્ર્ય વડે દ્રવ્યદીક્ષાના ગ્રહણથી પણ વીર્યોલ્લાસના ક્રમથી ઘણા જીવો પરમપદને પામ્યા. II૨-૨૭મા
ભાવાર્થ
શ્લોક-૧૭માં બતાવ્યું કે ધીરબુદ્ધિવાળા મહાપુરુષો મિથ્યાદષ્ટિ જીવને વ્રત આપે છે, અને મિથ્યાદૃષ્ટિને અપાયેલ દીક્ષા તે ભાવદીક્ષા નથી, પરંતુ દ્રવ્યદીક્ષા છે. છતાં પણ પ્રકૃતિથી ભદ્રક એવા મિથ્યાદષ્ટિ જીવો સંસારથી પર એવા અતીત તત્ત્વને પામવાની આકાંક્ષાથી દીક્ષા ગ્રહણ કરે છે, અને ગુરુને પરતંત્ર રહી પોતાના સ્થૂલબોધને અનુરૂપ સંયમજીવનમાં યત્ન કરે છે; અને તે યત્નથી વીર્ષોલ્લાસનો ક્રમ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ સમ્યક્ત્વ આદિની પ્રાપ્તિથી અનુક્રમે ૫૨મપદને પામે છે. વળી ભાવથી ગુર્વજ્ઞાનું પારતંત્ર્ય અપુનર્બંધકને પ્રાપ્ત થઈ શકતું નથી, કારણ કે ગુરુપારતંત્ર્ય મેળવવું તે સમ્યગ્દર્શનસ્વરૂપ છે; તેથી જ માપતુષાદિમુનિને ગુર્વાશા પારતંત્મરૂપ જ સમ્યક્ત્વ માનેલ છે. છતાં ભાવથી ગુર્વાશાના પા૨તંત્ર્યના કારણભૂત એવું દ્રવ્યથી ગુર્વજ્ઞાનું પારતંત્ર્ય અપુનર્બંધકને હોય છે.
જે સાધુઓ “આ મારા ગુરુ છે” એટલું માત્ર સ્વીકારીને પોતાને જરૂરી હોય એટલી જ આજ્ઞાનો અમલ કરે, અને બાકી પોતાની રુચિ પ્રમાણે કરતા હોય, તો તેના દ્વારા સ્વીકારાતું ગુરુ-પારતંત્ર્ય અપ્રધાન છે. જ્યારે આરાધક એવો અપુનર્બંધક, “આ જ ગુરુ મારા ભવનિસ્તારનું કારણ છે,” એવી બુદ્ધિપૂર્વક ગીતાર્થગુરુના વચનાનુસાર જ બાહ્ય આચરણાઓ કરતો હોય છે, પરંતુ સૂક્ષ્મપ્રજ્ઞા ન હોવાથી ગીતાર્થગુરુ આચરણામાં અપેક્ષિત ભાવો જે રીતે બતાવે છે તે રીતે