________________
અધ્યાત્મસાર -
૫૦ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે અશુદ્ધ ક્રિયામાં પણ જે શુદ્ધતા છે તે હણાતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે અનુષ્ઠાનમાં શુદ્ધતા કેટલા પ્રકારે છે ? તેથી કહે છે -
विषयात्मानुबन्धैर्हि, त्रिधा शुद्धं यथोत्तरं । ..
ઘુવતે વર્ન તત્ર, મુવીર્થ પતિનીદ્યપિ ારા . અન્વયાર્થી :
વિષયાત્માનુવઘેઃ દિ વિષય, આત્મા અને અનુબંધ વડે જ ત્રિધા યથોત્તર શુદ્ધ ત્રણ પ્રકારે યથોત્તર શુદ્ધ એવું ઢર્મ ગુવતે કર્મ=ક્રિયા (મહાત્મા) કહે છે. તત્ર
ત્યાં= તે ત્રણ પ્રકારમાં મુવાર્થ પતિનાદ્રિ ષિ મુક્તિ માટે પર્વતથી પતન આદિ જ ૩ઘં પ્રથમ છે=પહેલું વિષયશુદ્ધ કર્મ છે. ll૨-૨૨ાા
* અહીં દિ' અને “37” બંને “ઘ' કાર અર્થમાં છે, અને “પતિનાટ્રિમાં આદિ પદથી ગૃધ્રપૃષ્ઠ મરણનું ગ્રહણ કરેલ છે, શ્લોકાર્ચ -
વિષય, આત્મા અને અનુબંધ વડે જ ત્રણ પ્રકારે યથોત્તર શુદ્ધ એવું કર્મ મહાત્મા કહે છે. તે ત્રણ પ્રકારમાં મુક્તિ માટે પતનાદિ જ પ્રથમ વિષયશુદ્ધ કર્મ છે પાર
ભાવાર્થ :-:
મોક્ષને અનુકૂળ એવાં શુદ્ધ અનુષ્ઠાન ત્રણ પ્રકારનાં છે.
૧ વિષયશુદ્ધ, ૨ સ્વરૂપશુદ્ધ અને ૩ અનુબંધ શુદ્ધ. આ ત્રણેય અનુષ્ઠાન પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તરોત્તર અધિક-અધિક શુદ્ધ છે. અર્થાત્ વિષયશુદ્ધ અનુષ્ઠાન આંશિકશુદ્ધ છે, વિષયેશુદ્ધ અનુષ્ઠાન કરતાં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન અધિક શુદ્ધ છે અને અનુબંધશુદ્ધ અનુષ્ઠાન પૂર્ણશુદ્ધ છે. " ' પ્રસ્તુત શ્લોકમાં પ્રથમ વિષયશુદ્ધ અનુષ્ઠાન બતાવેલ છે, ત્યાં “વિષય શબ્દથી અનુષ્ઠાનનો જે ઉદ્દેશ છે તેને ગ્રહણ કરેલ છે. તેથી જે જીવ મોક્ષના ઉદ્દેશ ‘સાથે ભૃગુપાત કરે તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે: