________________
અધ્યાત્મસાર
४८
अशुद्धानादरेऽभ्यासा-योगानो दर्शनाद्यपि ।
सिध्येनिसर्गजं मुक्त्वा, तदप्याभ्यासिकं यतः ।।२०।। અન્વયાર્થ :
૩૪શબ્દના અશુદ્ધનો અનાદર કરાયે છતે ૩સીયા અભ્યાસનો અયોગ થવાથી રર્શનઃ ૩જ નો રિથ્થર દર્શનાદિ પણ સિદ્ધ થાય નહિ. અત: જે કારણથી નિસબં નિસર્ગથી પેદા થયેલા એવા દર્શનાદિને મુન્દ્રા છોડીને તપ તે પણ= દર્શનાદિ પણ ૩ખ્યારિસ આભ્યાસિક છે. રિ-૨ના નોધ :
ર્શનાથ” માં “કારિ પદથી જ્ઞાનનું ગ્રહણ કરવાનું છે અને “” થી એ કહેવું છે કે ચારિત્ર તો આભ્યાસિક છે, પરંતુ દર્શન-જ્ઞાન પણ આભ્યાસિક છે. શ્લોકાર્ચ -
અશુદ્ધનો અનાદર કરાયે છતે અભ્યાસનો અયોગ થવાથી દર્શનાદિ પણ સિદ્ધ થાય નહિ, જે કારણથી નિસર્ગથી પેદા થયેલાં એવાં દર્શનાદિને છોડીને દર્શનાદિ પણ આભ્યાસિક છે. l૨-૨ના ભાવાર્થ :
ભાવથી ગુણસ્થાનક થયા પછી દીક્ષા આપવી ઉચિત છે, તેમ સ્વીકારીને અશુદ્ધ ક્રિયાનો અનાદર કરવામાં આવે તો, કોઈ જીવ ગુણસ્થાનકની પ્રાપ્તિ અર્થે તે તે ક્રિયાઓનો અભ્યાસ કરી શકશે નહિ. કેમ કે ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વે તે ગુણસ્થાનકની ક્રિયા અશુદ્ધ જ હોય છે, અને અશુદ્ધ ક્રિયા કરાય નહિ તેમ કહીએ તો અભ્યાસમાં પ્રવૃત્તિ થઈ શકે નહિ. જો ગુણસ્થાનકને સ્પર્યા વિના પ્રવૃત્તિ થઇ જ ન શકે તેમ સ્વીકારીએ, તો સમ્યગ્દર્શનાદિ પણ પ્રગટ થઈ શકે નહિ. કેમ કે સમ્યગ્દર્શન બે રીતે થાય છે. ૧. નિસર્ગથી અને ૨. અધિગમથી.
નિસર્ગથી સમ્યગ્દર્શન જીવને વગર અભ્યાસે પ્રાપ્ત થાય છે, અને અધિગમથી સમ્યગ્દર્શન જીવ અભ્યાસથી જ પામે છે. મોટાભાગના જીવો અભ્યાસ કરી કરીને જ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ કરે છે.'
અધિગમથી સમ્યગ્દર્શન જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિની પૂર્વે સમ્યગ્દર્શનને અનુકૂળ દર્શનાચાર સેવવાથી જ પ્રગટે છે. તેથી જેમ દર્શનની પ્રાપ્તિ અર્થે અશુદ્ધ