________________
૪૯
અધ્યાત્મસ્વરૂપાધિકાર દર્શનાચાર પણ શુદ્ધનું કારણ હોવાથી માન્ય છે, તેમ સંયમની અશુદ્ધ ક્રિયા પણ ભવનર્ગુણ્યને જાણતા એવા વ્રતના પાલનમાં ધીર પુરુષો માટે અભ્યાસરૂપે માન્ય છે, અને તેનાથી જ ક્રમસર ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ૨-૨૦ll અવતરણિકા -
પૂર્વમાં સ્થાપન કર્યું કે, અશુદ્ધ ક્રિયા પણ સદાશયથી શુદ્ધ ક્રિયાનો હેતુ છે. તેથી એ ફલિત થાય કે, સદાશયવાળી અશુદ્ધ ક્રિયામાં શુદ્ધ ક્રિયાને અનુકૂળ કાંઈક શુદ્ધતા છે; તેથી અશુદ્ધ ક્રિયામાં કેવી શુદ્ધતા રહેલ છે ? તે બતાવવા માટે કહે છે –
शुद्धमार्गानुरागेणा-शठानां या तु शुद्धता ।
गुणवत्परतन्त्राणां, सा न क्वापि विहन्यते ।।२१।। અન્વયાર્થ:
___ शुद्धमार्गानुरागेण शुद्धमार्गना अनु२।गथी गुणवत्परतन्त्राणां अशठानां ગુણવાનને પરતંત્ર એવા અશઠ આત્માઓની યા તું શુદ્ધતા જે વળી (અશુદ્ધ ક્રિયામાં વર્તતી) શુદ્ધતા, સા તે વાપિ ન વિહન્યતે ક્યાંય પણ હણાતી નથી–નિષ્ફળ જતી નથી. |ર-૨૧ાા શ્લોકાર્ચ -
શુદ્ધમાર્ગના અનુરાગથી ગુણવાનને પરતંત્ર એવા અશઠ આત્માઓની જે વળી અશુદ્ધ ક્રિયામાં વર્તતી શુદ્ધતા, તે ક્યાંય પણ હણાતી નથી, અર્થાત્ નિષ્ફળ જતી નથી. I૨-૨વા ભાવાર્થ :
જે જીવને શુદ્ધમાર્ગનો અનુરાગ છે અને આત્મવંચના કર્યા વગર અશઠભાવથી આત્મકલ્યાણના અર્થે ક્રિયા કરે છે, ગુણવાન વ્યક્તિને પરતંત્ર થઈને સાચું જાણવા પ્રયત્ન કરે છે અને તે પ્રમાણે જ આચરવા યત્ન કરે છે, તે જીવની અશુદ્ધ ક્રિયામાં પણ જે શુદ્ધતા છે, તે શુદ્ધતા કયાંય પણ હણાતી નથી. અર્થાત્ તેવા જીવો અલ્પબોધને કારણે ક્વચિત્ ખામીવાળી ક્રિયા કરતા હોય તો પણ, તેઓને શુદ્ધમાર્ગનો રાગ છે, અશઠભાવ છે અને ગુણવાનને પરતંત્ર છે, તેથી તેમની અશુદ્ધ ક્રિયામાં કંઈક શુદ્ધતા છે; જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. ર-રવા