________________
અધ્યાત્મસાર
૨૦
अध्येतव्यं तदध्यात्म-शास्त्रं भाव्यं पुनः पुनः ।
अनुष्ठेयस्तदर्थश्च, देयो योग्यस्य कस्यचित् ।।२४।। અન્વયાર્થ :
તત્ તે કારણથી=પૂર્વમાં અધ્યાત્મશાસ્ત્રનું માહાલ્ય બતાવ્યું તે કારણથી, ૩ધ્યાત્મિશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર ૩ષ્યતત્રં ભણવું જોઇએ, પુનઃ પુનઃ માર્ચે ફરી ફરી ભાવન કરવું જોઈએ તર્થ: ૨ અને તેનો અર્થ=અધ્યાત્મશાસ્ત્ર બતાવેલ ક્રિયાઓ ડાનુણે: આચરવી જોઈએ યોગ્યરચ રચરિત્ : (અને) યોગ્ય એવા કોઈકને (અધ્યાત્મશાસ્ત્રનો અર્થ) આપવો જોઇએ. II૧-૨૪ શ્લોકાર્થ :
પૂર્વમાં અધ્યાત્મશાસ્ત્રનું માહાભ્ય બતાવ્યું તે કારણથી, અધ્યાત્મશાસ્ત્ર ભણવું જોઇએ, ફરી ફરી ભાવન કરવું જોઇએ અને અધ્યાત્મશાસ્ત્ર બતાવેલ ક્રિયાઓ આચરવી જોઇએ અને યોગ્ય એવા કોઈકને અધ્યાત્મશાસ્ત્રનો અર્થ આપવો જોઇએ. ll૧-૨૪ll ભાવાર્થ :
પૂર્વમાં જે અધ્યાત્મનું માહાલ્ય બતાવ્યું તે કારણથી, અધ્યાત્મશાસ્ત્રનું અધ્યયન કરવું જોઇએ. અર્થાત્ અધ્યાત્મશાસ્ત્રનું ખરું તત્ત્વ સૂક્ષ્મ પ્રજ્ઞાથી જોઈ શકાય તે રીતે સ્વપ્રજ્ઞાથી કે પરપ્રજ્ઞાની સહાયથી પણ તેનું અધ્યયન કરવું જોઇએ, જેથી અધ્યાત્મશાસ્ત્રના અપેક્ષિત ભાવો યથાર્થ રીતે પ્રતિભાસિત થાય. ત્યાર પછી ફરી ફરીને તે ભાવોને તે રીતે ઉપસ્થિત કરીને અતિ ઘૂંટવા જોઇએ, જેથી તે બોધ અતિ સ્પષ્ટ અને દઢ સંસ્કારવાળો થાય. ત્યાર પછી તે ભાવોને પોતાનામાં આવિર્ભાવ કરવા માટે જે આચરણાઓનું અધ્યાત્મશાસ્ત્રમાં વિધાન છે, તે આચરણાઓને સમ્યફ સેવવી જોઇએ અને યોગ્ય એવા કોઈક જીવને તે આપવી જોઈએ.
અહીં સર્વને નહિ આપવાનું કહેવા પાછળ તાત્પર્ય એ છે કે, જે જીવના કષાયો અલ્પ ન થયા હોય તે જીવને અધ્યાત્મશાસ્ત્ર પરિણામ પામી શકે નહિ, અને તેવા જીવને તે શાસ્ત્ર આપવાથી તેનું પણ અહિત થાય છે, અને શાસ્ત્રની લોકમાં અલ્પતા થવાના કારણે આપનારને પણ અહિતનું કારણ બને છે; અને પાત્રમાં જ