________________
૨૭
અધ્યાત્મસ્વરૂપાધિકાર
आहारोपधिपूजर्द्धि-गारवप्रतिबन्धतः ।
भवाभिनन्दी यां कुर्यात्, क्रियां साऽध्यात्मवैरिणी ।।५।। અન્વયાર્થ
સાહારવધિપૂર્વારિવપ્રતિવર્ધીત: આહાર, ઉપધિ, પૂજા, ઋદ્ધિ-આમર્યાદિ લબ્ધિઓ, (અને ગારવના પ્રતિબંધથીઃખેંચાણથી ભવાઈમની યાં જ્યિાં ત્ ભવાભિનંદી જીવ (ધર્માનુષ્ઠાનરૂ૫) જે ક્રિયાને કરે છે સા તેત્રક્રિયા ધ્યાત્મિરિn અધ્યાત્મની વૈરી છે. IFર-પા. શ્લોકાર્ચ -
આહાર, ઉપધિ, પૂજા, આમર્ષાદિ લબ્ધિઓરૂપ ઋદ્ધિ અને ગારવના ખેંચાણથી ભવાભિનંદી જીવ ધર્માનુષ્ઠાનરૂપ જે ક્રિયાઓ કરે છે તે અધ્યાત્મની વૈરી છે. ll૨-પા ભાવાર્થ
“ભવ' પ્રત્યે જેને આકર્ષણ છે તેને “ભવાભિનંદી' કહેવાય છે. અપુનબંધકદશાની પ્રાપ્તિ પૂર્વે જીવો ભવાભિનંદી હોય છે, અને જે જીવો અપુનબંધક અવસ્થા પામ્યા પછી પણ સંસારના આકર્ષણને કારણે કે કદાગ્રહને કારણે, વિપર્યાય બુદ્ધિવાળા થાય ત્યારે, તેવા અપુનબંધકાદિ જીવો પણ યોગની ભૂમિકામાંથી બહાર નીકળવાને કારણે ભવાભિનંદિતાને પામે છે. અને આ ભવાભિનંદી જીવો સારો આહાર મેળવવા માટે કે સારી ઉપાધિ મેળવવા માટે કે લોકોમાં પૂજાની પ્રાપ્તિ માટે અથવા તો આમર્ષાદિ લબ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કે રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પ્રાપ્ત કરવા માટે જે સંયમ ગ્રહણ કરે છે; અને
ક્વચિત્ આ ત્રણ ગારોને આ ભવમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય નહિ, તો પણ જન્માંતરમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા જેઓને હોય છે, તેવા જીવો જે તપ-સંયમની ક્રિયા કરે છે, તે અધ્યાત્મની વિરોધિની છે. -પા અવતરણિકા -
ભવાભિનંદી જીવનાં લક્ષણો બતાવે છે -