________________
૪૧
અધ્યાત્મસ્વરૂપાધિકાર શ્લોકાર્ય :
જે પ્રકારે અપ્રાપ્ત સુવર્ણના આભૂષણવાળાઓને રજતનું આભૂષણ છે, તે પ્રકારે ચોથા પણ ગુણસ્થાનકમાં શુશ્રુષા આદિ ઉચિત ક્રિયાઓ છે. 1ર-૧૪ll ભાવાર્થ :
જેમ સુવર્ણના આભૂષણની અપ્રાપ્તિમાં રજતનાં અર્થાત્ ચાંદીનાં આભૂષણ ઉચિત છે, તેમ દેશવિરતિ આદિની ક્રિયા જેમને પ્રાપ્ત થઈ નથી તેમને, અનંતાનુબંધીરૂપ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી નિષ્પન્ન એવી શુશ્રુષા વગેરે ક્રિયા ઉચિત છે. તેથી ચોથા ગુણસ્થાનકમાં અધ્યાત્મ સંગત છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનય પાંચમા ગુણસ્થાનકથી શુદ્ધ ક્રિયા માને છે, કેમ કે સ્થૂલદૃષ્ટિથી પાંચમા ગુણસ્થાનક પહેલાં વિરતિની ક્રિયા નથી; અને સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો ચોથા ગુણસ્થાનકમાં પણ શુશ્રુષાદિ ક્રિયાઓ છે, તેને આશ્રયીને ચોથા ગુણસ્થાનકમાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા નિશ્ચયનય સ્વીકારે છે; ફક્ત તે શુદ્ધ ક્રિયા પાંચમા ગુણસ્થાનકની શુદ્ધ ક્રિયા કરતાં ઘણી અલ્પતાવાળી છે, તેથી રજતનાં આભૂષણ જેવી છે. ૨-૧૪ - અવતરણિકા -
ચોથા ગુણસ્થાનકમાં શુશ્રુષાદિ ઉચિત ક્રિયા છે, તેથી ત્યાં રજતના આભૂષણ જેવું અધ્યાત્મ સંગત થાય. પરંતુ અપુનબંધક અવસ્થાવાળા જીવને મિથ્યાત્વનો ઉદય હોવાથી તેનું જ્ઞાન પણ શુદ્ધ નથી, તેમ જ અન્યદર્શનની કે જૈનદર્શનની ક્રિયાઓ કરે છે તે પણ શુદ્ધ નથી, તો અપુનબંધકને ઉપચારથી પણ અધ્યાત્મ કઈ રીતે હોઈ શકે ? તે પ્રકારની શંકાનું નિવારણ કરતાં કહે છે –
अपुनर्बन्धकस्यापि, या क्रिया शमसंयुता ।
चित्रा दर्शनभेदेन, धर्मविघ्नक्षयाय सा ।।१५।। અન્વયાર્થ
| સર્જનમેરે સપુનર્વઘવસ્થા દર્શનના ભેદ વડે અપુનબંધકની પણ - શમસંયુતા ચિત્રા યા યા શમથી યુક્ત એવી વિવિધ પ્રકારની જે ક્રિયા (છે) સી. ઘર્મવિખયાય તે ધર્મવિનના ક્ષય માટે થાય છે. -૧પ