________________
૪૩
#
'
%
,
અધ્યાત્મસ્વરૂપાધિકાર અન્વયાર્થઃ
દિ જે કારણથી સાશયાત્ શુદ્ધ થિ સદાશય હોવાથી અશુદ્ધ પણ ક્યિા શુદ્ધીયા દેતુઃ શુદ્ધનો શુદ્ધ ક્રિયાનો હેતુ છે. (જેમ) રસાનુ9ઘન તાક્યું રવત્વમધમતિ રસના અનુવેધથી તાંબુ સુવર્ણપણાને પામે છે. (તે કારણથી અપુનબંધકની અશુદ્ધ પણ ક્રિયા ધર્મવિઘ્નના ક્ષય માટે થાય છે; તેમ પૂર્વશ્લોક સાથે ‘હિં નો અન્વય છે.) ૨-૧૦ાાં . . * દિયમાત્ અર્થમાં છે.
શ્લોકાર્થ :- જે કારણથી સદાશય હોવાથી અશુદ્ધ પણ ક્રિયા શુદ્ધ ક્રિયાનો હેતુ છે, જેમ રસના અનુવેધથી તાંબુ સુવર્ણપણાને પામે છે; તે કારણથી અપુનબંધકની અશુદ્ધ પણ ક્રિયા ધર્મવિદનના ક્ષય માટે થાય છે. રિ-૧૧ાા ભાવાર્થ :
, જૈનદર્શન કે અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને સંસારથી પર એવા અતીત તત્ત્વનો તીવ્ર પક્ષપાત હોય છે, અને અનાભોગમાત્રથી યત્કિંચિત્ અસદ્ગહ હોય છે. વળી આ અસદ્ગહ પ્રાયઃ મૃત જેવો અને સામગ્રી પ્રાપ્ત થતાં નિવર્તન પામે તેવો હોય છે. આમ, તત્ત્વના તીવ્ર પક્ષપાતરૂપ સદાશયને કારણે-અપુનબંધકની અન્યદર્શનની કે જૈનદર્શનની અશુદ્ધ પણ ક્રિયા, જેનદર્શનની શુદ્ધ ક્રિયાનો હેતુ બને છે; જેમ રસના અનુવેધથી તાંબુ સુવર્ણપણાને પામે છે. ' * સદાશયથી યુક્ત ક્રિયા કરતો એવો અપુનબંધક જીવ, સામગ્રી પ્રાપ્ત થતાં એ જ ભવમાં સન્માર્ગને પ્રાપ્ત કરે છે, અને ક્વચિત્ તે ભવમાં સામગ્રી ન મળે તો પણ સદાશયને કારણે બંધાયેલાં શુભકર્મોથી તેને સન્માર્ગની પ્રાપ્તિ અવશ્ય થાય છે. - પ્રસ્તુત શ્લોકમાં રસના અનુવેધને સ્થાને સદાશય છે, તાંબાના સ્થાને અપુનબંધકની અશુદ્ધ ક્રિયા છે અને સુવર્ણના સ્થાને ભવિષ્યમાં થનારી શુદ્ધ ક્રિયા છે; અને આ શ્લોકનો અન્વયે પૂર્વશ્લોક સાથેના જોડાણવાળો છે. તેથી એ પ્રાપ્ત થાય કે અપુનબંધકની અશુદ્ધ પણ ક્રિયા ધર્મમાં વિઘ્ન કરનાર કર્મનો નાશ કરીને શુદ્ધ ક્રિયારૂપ ધર્મની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી અધ્યાત્મનું કારણ હોવાથી વ્યવહારનય અપુનબંધક જીવમાં પણ અધ્યાત્મ સ્વીકારે છે. આર-૧
ગા'
,
,