________________
અધ્યાત્મસારી : શ્લોકાર્થ :- દર્શનના ભેદથી અપુનર્બધેકની પણ શમથી યુક્ત એવી વિવિધ પ્રકારની જે ક્રિયા છે, તે ધર્મવિનના ક્ષય માટે થાય છે. ll-૧પ ભાવાર્થ :
અન્યદર્શનમાં રહેલ કે જૈનદર્શનમાં રહેલ અપુનબંધક જીવ, ભવસ્વરૂપને જાણીને ભવથી ઉદ્વિગ્ન થયેલ પ્રથમની ચાર દૃષ્ટિમાં વર્તનારો છે. તેમ જ ભિન્ન ભિન્ન દર્શનમાં રહેલા અપુનર્ધધક જીવોને આશ્રયીને વિવિધ પ્રકારની ક્રિયાઓ માન્ય છે.
અન્યદર્શનમાં રહેલ અપુનર્બક જીવ સંસારથી અતીત તત્ત્વની ઉપાસના કિરતો તે તે દર્શનની ક્રિયાને કરે છે, તેથી તેવા અપુનબંધકને સંસારથી અતીત તત્ત્વનો તીવ્ર પક્ષપાત હોય છે અને તેનો અસંઘ્રહ નષ્ટ જેવો હોય છે. પરિણામે તેવા જીવમાં બલવાન અસથ્રહના કારણભૂત કષાયનો ઉપશમરૂપ શેમ વર્તતો હોય છે, અને તે જીવ શમભાવથી યુક્ત એવી સંસારથી અતીત તત્ત્વની ઉપાસનારૂપ જે ક્રિયા કરે છે, તે તાત્ત્વિકધર્મની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા કર્મરૂપ વિનના ક્ષય માટે થાય છે. કેમ કે શમસંયુક્ત તે તે પ્રકારની ક્રિયાઓથી ધીરેધીરે તે સંસારથી વિમુખ અને અતીત તત્તમાં વધુને વધુ અભિમુખ થતો જાય છે.
આમ, અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવને જૈનધર્મ જાણવા મળે ત્યારે અને જૈનદર્શનમાં રહેલા અપુનબંધક જીવને વિશેષ સામગ્રી મળે ત્યારે, અસદ્ગત નિવર્તનીય હોવાને કારણે તત્ત્વની પ્રાપ્તિ શીવ્ર થાય છે, તેથી તત્ત્વની પ્રાપ્તિનું કારણ હોવાથી અપુનબંધક જીવની ક્રિયા અધ્યાત્મનું કારણ છે. l૨-૧પII અવતરણિકા :
અપુનબંધક જીવની ક્રિયા અશુદ્ધ હોય છે, તેથી તેની ક્રિયા તેને અધ્યાત્મનું કારણ કઈ રીતે બને ? એ શંકાના નિવારણ અર્થે કહે છે –
अशुद्धाऽपि हि शुद्धाया:, क्रिया हेतुः सदाशयात् । તાÄ રસીનુઘેન, સ્વત્વમધતિ (ાદ્દા.