________________
૪૫
અધ્યાત્મસ્વરૂપાધિકાર
यो बुद्ध्वा भवनैर्गुण्यं, धीरः स्याद् व्रतपालने । स योग्यो भावभेदस्तु, दुर्लक्ष्यो नोपयुज्यते । । १८ ।।
અન્વયાર્થ :
મવનૈનુખ્ય વુધ્ધા ભવ=સંસારની નિર્ગુણતાને જાણીને વ્રતપાતને ય: ધીર: સ્વાત્ વ્રતપાલનમાં જે ધીર હોય સઃ યોગ્યઃ તે યોગ્ય છે. તુ વળી દુર્લક્ષ્યો માવમેવ દુર્લક્ષ્ય એવો ભાવનો ભેદ=જાણી ન શકાય તેવો ભાવવિશેષ (વ્રત આપવા માટે) પપ્પુતે ન ઉપયોગી નથી. II૨-૧૮॥
શ્લોકાર્થ :
સંસારની નિર્ગુણતાને જાણીને વ્રતપાલનમાં જે ધીર હોય તે યોગ્ય છે. વળી જાણી ન શકાય તેવો ભાવવિશેષ, અર્થાત્ સ્વીકારાતાં વ્રતોના ગુણસ્થાનકની પરિણતિરૂપ જાણી ન શકાય તેવો ભાવવિશેષ, વ્રત આપવા માટે ઉપયોગી નથી. II૨–૧૮૫ ભાવાર્થ:
જીવમાં મિથ્યાત્વ મંદ થવાથી જીવની કંઈક નિર્મળ દૃષ્ટિ થાય છે, અને કંઈક નિર્મળ થયેલી દૃષ્ટિને કારણે અથવા સમ્યક્ત્વનો પ્રાદુર્ભાવ થવાને કારણે જીવ ભવના નૈર્ગુણ્યને જાણી શકે છે, અર્થાત્ ભવને વિષ્ટાતુલ્ય જાણે છે. અને આવો જીવ જ્યારે વ્રત ગ્રહણ કરવા માટે તત્પર થયેલો હોય, તેમ જ વ્રતનું પાલન કરવામાં ધૈર્યવાળો હોય, ત્યારે તે જીવ વ્રત આપવા માટે યોગ્ય છે; પરંતુ ભાવથી તેને વ્રતનો પરિણામ થયો છે કે નહિ ? તે છદ્મસ્થ જાણી શકે નહિ. તેથી ગુણસ્થાનકના પરિણામરૂપ ભાવવિશેષનો અતીન્દ્રિય જ્ઞાની સિવાય કોઈ નિર્ણય કરી શકે નહિ. તેથી ગુણસ્થાનકની પરિણતિરૂપ આવો ભાવ જ સંયમ માટે આવશ્યક છે તેમ કહી શકાય નહિ. માટે જ ધીરબુદ્ધિવાળા મહાત્માઓ મિથ્યાદ્દષ્ટિને પણ યોગ્ય જાણીને દીક્ષા આપે છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનય, ગુણસ્થાનકનો પરિણામ જેને થઈ ચૂકેલો હોય કે વ્રત ઉચ્ચ૨તી વખતે જેને થવાનો હોય તેને જ વ્રત આપવું ઉચિત માને છે. પરંતુ વ્યવહારનય ગુણસ્થાનકનો પરિણામ જેને થયો ન હોય કે તાત્કાલિક થાય તેવો ન હોય તો પણ, જે જીવ ભવની નિર્ગુણતાને જાણીને વ્રતનું પાલન ક૨વામાં